અઠવાડિયાનાં બધા જ દિવસોના સ્વામી એક એક ગ્રહ હોય છે અને તે ગ્રહની વ્યક્તિના જીવન પર ગાઢ અસર પડે છે.તો જાણો ક્યા દિવસે જન્મેલા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.
અઠવાડિયાનાં દરેક દિવસોનાં સ્વામી હોય છે એક એક ગ્રહ
આ ગ્રહની વ્યક્તિનાં જીવન પર પડે છે અસર
જન્મનાં સમયની પણ વ્યક્તિના વ્યક્તિત્વ પર પડે છે અસર
અઠવાડિયાનાં બધા જ દિવસોના સ્વામી એક એક ગ્રહ હોય છે અને આ સંબંધિત ગ્રહ તે દિવસે જન્મ લેનાર વ્યક્તિઓનાં વ્યક્તિત્વ પર પોતાની પ્રકૃતિની ગાઢ અસર છોડે છે અઠવાડિયાનાં બધા જ દિવસોની જીવન પર અસર પડે છે. વ્યક્તિનો જન્મ જે દિવસે થયો હોય, તે દિવસના પ્રભાવથી વ્યક્તિનો વ્યવહાર અને તેનું ચરિત્ર પણ પ્રભાવિત થાય છે. આજે વાત કરીશું કે અઠવાડિયામાં ક્યા દિવસે જન્મ લેનાર વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે.
વાણીમાં મધુર હોય છે સોમવારે જન્મેલા લોકો
સોમવારે જન્મ લેનાર વ્યક્તિ ચંદ્રનાં પ્રભાવને કારણે બુદ્ધિમાન અને શાંત સ્વભાવના હોય છે. આવા લોકો પોતાની મધુર વાણીથી અન્ય લોકોને પોતાની સરળતાથી મોહિત કરી લે છે. આવા લોકો સ્થિર સ્વભાવનાં અને સુખ-દુઃખ બંને સ્થિતિમાં સમાન રુપ્તથી વ્યવહાર કરવાવાળા હોય છે.
પરિવારનું નામ રોશન કરે છે મંગળવારે જન્મેલા લોકો
મંગળવારનાં દિવસે જન્મેલા લોકો મંગળનાં પ્રભાવને કારણે જટિલ સ્વભાવના, બીજાનાં કામમાં ભૂલો કાઢવાવાળા, યુદ્ધ પ્રેમી, પરાક્રમી, પોતાની વાતો પર કાયમ રહેનાર અને પરિવારનું નામ રોશન કરનાર હોય છે.
ભણતરમાં રુચિ રાખે છે બુધવારે જન્મેલા લોકો
બુધવારનાં દિવસે જન્મેલા લોકો બુધના પ્રભાવને કારણે મીઠું બોલવાવાળા, ભણતરમાં રુચિ ધરાવનાર, જ્ઞાની, લેખક અને સંપત્તિવાન હોય છે. આ અન્ય લોકો પર સરળતાથી વિશ્વાસ કરતા નથી.
માન-સન્માન મેળવે છે ગુરુવારે જન્મેલા લોકો
આ દિવસે જન્મ લેનાર વ્યક્તિ ગુરુના પ્રભાવને કારણે વિદ્યામાં નિપુણ, ધનવાન, જ્ઞાની, વિવેકશીલ અને ઉત્તમ સલાહકાર હોય છે. આ લોકો બીજાને ઉપદેશ દેવામાં હંમેશા આગાળ રહે છે. સાથે જ તેમને લોકો પાસેથી માન - સન્માન પ્રાપ્ત કરવાની અને પ્રસિદ્ધિ મેળવવાની તીવ્ર ઈચ્છા હોય છે.
સ્વભાવમાં ચંચળ હોય છે શુક્રવારે જન્મેલા લોકો
શુક્રવારનાં દિવસે જન્મેલા લોકો શુક્રનાં પ્રભાવને કારણે ચંચળ, ભૌતિક સુખોમાં પડ્યા રહેનાર, તર્ક વિતર્કમાં હોશિયાર, ધનવાન તથા તીક્ષણ બુદ્ધિનાં સ્વામી હોય છે. આ લોકોની ઈશ્વરમાં શ્રદ્ધા ઓછી હોય છે.
ગંભીર સ્વભાવનાં હોય છે શનિવારે જન્મેલા લોકો
શનિવારનાં દિવસે જન્મેલા લોકો શનિનાં પ્રભાવને કારણે કઠોર સ્વભાવના, પરાક્રમી, પરિશ્રમી, દુઃખ સહન કરવાની શક્તિ ધરાવતા, ન્યાયી તથા ગંભીર સ્વભાવના હોય છે. આ લોકોને સેવા કરવાને કારણે પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
તેજસ્વી અને ગુણવાન હોય છે રવિવારે જન્મેલા લોકો
રવિવારનાં દિવસે જન્મ લેનાર લોકો સૂર્યનાં પ્રભાવને કારણે તેજસ્વી, ચતુર, ગુણવાન, ઉત્સાહી, દાની પરંતુ થોડો ગર્વ કરવાવાળા અને પિત્ત પ્રકૃતિનાં હોય છે. રવિવારે જન્મ લેનાર લોકો ખૂબ જ ગુસ્સાવાળા પણ હોય છે.
દેખાવમાં આકર્ષક હોય છે દિવસે જન્મેલા લોકો
દિવસે જન્મ લેનાર વ્યક્તિ ધાર્મિક પ્રકૃતિના હોય છે. તેઓ સામાજિક કાર્યોમાં ભાગ લેનાર પુણ્યાત્મા હોય છે. તેઓ પોતાના જીવનમાં દરેક પ્રકારની ભૌતિક સુખ-સુવિધા પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે. આવા લોકો મિત્રો વચ્ચે ઘણા લોકપ્રિય હોય છે. તેમની માનસિક તથા બૌદ્ધિક ક્ષમતા ઉચ્ચ કોટિની હોય છે અને દેખાવમાં પણ તેઓ ઘણા આકર્ષક હોય છે.
રોમાંટિક પ્રકૃતિનાં હોય છે રાત્રે જન્મેલા લોકો
રાતનાં સમયે જન્મેલા લોકો ઓછું બોલે છે અને રોમાંટિક પ્રકૃતિનાં હોય છે. ઓપોઝિટ જેન્ડર પ્રત્યે તેમનો ઝુકાવ હોય છે. તેઓ ચાલક અને પોતાનું કામ કાઢવામાં હોંશિયાર હોય છે. શારીરિક કષ્ટને કારણે તેમણે અનાવશ્યક તકલીફોનો પણ સામનો કરવો પડી શકે છે. આવા લોકોનો સ્વભાવ છુપાઈ છુપાઈને પોતાના કાર્યોમાં મશગૂલ રહેવાનો હોય છે.