શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે, શીવજીની ભક્તિ કરો એટલે ભોળાશીવ પ્રસન્ન થઇને તમને વરદાન આપી દે છે. દુનિયામાં શિવજીના પરમ ભક્તોની સંખ્યા કરોડોમાં છે પરંતુ શીવજી વિશે નાની નાની કથાઓ કદાચ લોકોને ખબર નહી હોય. શું તમને ખબર છે કે તેમના ગળામાં વાસૂકી નાગ કેમ છે, શીવજીનો શણગાર પણ અન્ય દેવી દેવતાઓ કરતા ભિન્ન છે. ત્યારે આજે અમે તમને શીવજીના ગળામાં રહેલ વાસૂકી નાગ વિશે જણાવીશું.
વાસૂકી નાગ કેમ બિરાજમાન છે શિવજીના ગળામાં
વાસૂકી નાગ કેટલી કથાઓમાં પ્રચલિત છે
શું અત્યારે પણ વાસૂકી નાગને પૂજવામાં આવે છે
વાસૂકીને નાગલોકના રાજા માનવામાં આવતા હતા અને તે ભગવાન શિવના પરમભક્ત હતા. એવુ માનવામાં આવે છે કે શીવલિંગની પૂજા અર્ચના પણ નાગ જાતિના લોકોએ જ પ્રારંભ કરી હતી. શીવજી વાસૂકીની શ્રદ્ધા અને ભક્તિથી ખૂબ પ્રસન્ન થયા અને તેમણે ખુશ થઇને વાસૂકીને તેમના ગળામાં ધારણ કરી લીધા હતા. શીવજીએ વાસૂકીને પોતાના ગળામાં રહેવાનું વરદાન આપ્યુ હતુ માટે શીવજીના ગળામાં વાસૂકી નાગનો વાસ છે.
સમુદ્રમંથન વખતે મેરુ પર્વતને સમુદ્રમંથન માટે સમુદ્રમાં ઉતારવામાં આવ્યો અને વાસૂકી નાગની મદદથી તેને ફેરવવાનું શરૂ કર્યું. એક તરફ વાસૂકી નાગને દેવતાઓએ પકડ્યા હતા અને બીજી તરફ દેવોએ પકડ્યા હતા. સમુદ્રમંથનને કારણે વાસૂકીનું આખુ શરીર લોહી લૂહાણ થઇ ગયુ હતું. જે જોઇને શીવજી પ્રસન્ન થયા હતા,
જ્યારે વાસૂદેવ ભગવાન શ્રીકૃષ્ણને લઇને ગોકુલ જઇ રહ્યા હતા ત્યારે વરસાદમાં ભગવાનની રક્ષા પણ વાસૂકી નાગે જ કરી હતી. એક કથા મુજબ મણિ માત્ર વાસુકી નાગના માથે જ બિરાજમાન છે.