આપણા દેશમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસે છે અને એ દરેક ધર્મમાં લગ્ન માટેના કાયદાની જોગવાઇ પણ કરવામાં આવી છે. હિન્દુ મેરેજ એક્ટ લગ્નની તમામ જોગવાઇને આવરી લે છે. હિન્દુ મેરેજ એક્ટ સિવાય સ્પેશ્યલ મેરેજ એક્ટ, મુસ્લિમ મેરેજ એક્ટ, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ, પારસી મેરેજ એક્ટ જેવા જુદા જુદા લગ્નના કાયદા છે.
કોને કોને લાગુ પડે છે હિન્દુ મેરેજ એક્ટ
હિન્દુ મેરેજ એક્ટ શું છે
જુદી જુદી જ્ઞાતિના વિવાહ માટે સપ્તપદી જરૂરી
શું છે હિન્દુ મેરેજ એક્ટ અને તેમાં જોગવાઈ શું છે? તે કોને કોને લાગુ પડે અને સપ્તપદીનું હિન્દુ મેરેજ એક્ટમાં કેટલુ છે મહત્વ તે પણ જાણવું જરૂરી છે.
હિન્દુ મેરેજ એક્ટ શું છે.
હિન્દુ લગ્ન ધારો 1955થી અમલી બન્યો છે. જે મુજબ નીચેના મુદ્દા મહત્વના છે
જેને લીધે કોઇ પણ હિન્દુ એકથી વધારે પત્ની કરી શકશે નહીં
કોઇ પણ સ્ત્રી એકથી વધારે પતિ કરી શકશે નહીં.
આ ધારા મુજબ, હિન્દુ વિધવા સ્ત્રીને પુર્નલગ્ન કરવાની છુટ છે.
આ ધારા હેઠળ હિન્દુ અને જે હિન્દુ ન હોય તેઓ વચ્ચે લગ્ન સંભવિત નથી.
જો આવા લગ્ન કરવાના હોય તો આવા લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954ની જોગવાઇઓ પ્રમાણે કરી શકાય.
કોને કોને લાગુ પડે છે હિન્દુ મેરેજ એક્ટ
હિન્દુ લગ્ન ધારો જૈનો, બૌદ્ધો અને શીખોને લાગુ પડે છે.
લગ્નની વય શું હોય
આ લગ્ન ધારામાં લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષની અને વરની ઉંમર 21 વર્ષની થઇ હોવી જોઇએ. આમ છતાં જો આ શરતનું પાલન થયું ન હોય તો તેવાં લગ્ન કાયદાથી અમાન્ય ઠરતાં નથી, પરંતુ તે માટે ફોજદારી કાયદા હેઠળ શિક્ષા થઇ શકે છે.
કોણ લગ્ન ન કરી શકે
જે વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોય તે લગ્ન ન કરી શકે.
કોઇ વ્યક્તિ શારીરિક રીતે અસ્વસ્થતાથી પીડાતી હોય કે તે સંતાનોત્પત્તિ ન કરી શકે તેમ હોય, તે લગ્ન ન કરી શકે.
ગાંડી વ્યક્તિ પણ લગ્ન ન કરી શકે.
આવી વ્યક્તિનાં લગ્ન જો થયાં હોય તો કોર્ટ મારફત આવા લગ્ન રદ ઠરાવી શકાય.
કપટ કરીને લગ્ન કર્યા હોય તો પણ લગ્ન રદ કરાવી શકાય છે.
જુદી જુદી જ્ઞાતિના વિવાહ માટે સપ્તપદી જરૂરી
ઘણી વાર પ્રશ્ન થતો હોય છે કે લગ્નના પક્ષકારો જુદી જુદી જ્ઞાતિના છે, તો કઇ વિધિ પ્રમાણે લગ્ન કરી શકાય. આનો જવાબ એ છે કે લગ્નના પક્ષકારોમાંના એક જ્ઞાતિના રિવાજ પ્રમાણે લગ્ન કરી શકાય. જો શાસ્ત્રોકત વિધિ પ્રમાણે લગ્ન કર્યા હોય તો સપ્તપદીની વિધિ કરવી આવશ્યક છે અને આ લગ્ન બંને પક્ષને બંધનકર્તા બને છે.