વરસાદની સીઝનમાં આંખોમાં સંક્રમણની સમસ્યા વધી જાય છે. આ સમયે જો થોડી બેદરકારી રાખશો તો આંખોને નુકસાન થઈ શકે છે, તો રહો એલર્ટ.
વરસાદની સીઝનમાં રાખો ખાસ તકેદારી
આંખમાં દેખાય લાલાશ તો ઈગ્નોર ન કરશો
બળતરા થાય તો હળવાશમાં ન લેશો
કન્જક્ટીવાઈટીસની હોઈ શકે છે બીમારી
વરસાદની સીઝન આવવાની સાથે સાથે આંખની તકલીફો વધી જાય છે. વરસાદની સીઝનમાં મોટી સંખ્યામાં આંખના સંક્રમણના કેસ જોવા મળે છે. આ સીઝનમાં સૌથી વધારે કેસ કન્જક્ટીવાઈટિસના મળે છે. તેમાં આંખ લાલ થવી, બળતરા થવી, સોજા આવવાની ફરિયાદ રહે છે. આ ફરિયાદને ઈગ્નોર કરવાથી સમસ્યા વધી જાય છે. જો સમયસર તેનો ઉપાય કરી લેવામાં આવે તો રાહત મળે છે.
આ રીતે થાય છે કન્જક્ટિવાઈટિસ
આંખમાં રહેલા કંજક્ટિવા સેલ્સના પાતળા લેયરથી બને છે જે પાંપણની અંદરની જગ્યા અને આંખના સફેદ ભાગને કવર કરે છે. જ્યારે કંજક્ટિવામાં સોજો આવે છે તો નાની લોહીની નસો કે કોશિકાઓ સક્રિય થાય છે. આ કારણે આંખમાં પરેશાની શરૂ થાય છે. તેમાં લાલાશ કે ગુલાબીપણું આવે છે. જે 1-4 અઠવાડિયા સુધી રહે છે. કંજક્ટિવાઈટિસના કારણે આંખમાં ખંજવાળ આવવી, એલર્જી થવી કે બળતરાની તકલીફ જોવા મળે છે.
આ લક્ષણો મળે છે જોવા
આંખ લાલ થવી
આંખમાંથી પાણી નીકળવું
સવારે ઉઠતા આંખ ચોંટી જવી કે તેને ખોલવામાં તકલીફ થવી
આંખમાં પત્થર જેવું ખૂંચવું
આંખમાં ખંજવાળ,બળતરા અને ખેંચાણ અનુભવાય
કોન્ટેક્ટ લેન્સ લગાવવામાં તકલીફ થવી
કન્જક્ટિવાઈટિસના 2 પ્રકાર હોય છે
સામાન્ય રીતે કન્જક્ટિવાઈટિસના 2 પ્રકાર છે. પહેલી કેટેગરી એલર્જિક કંજક્ટિવાઈટિસ. પહેલી કેટેગરી એલર્જિક કંજક્ટિવાઈટિસ છે. જેમાં પરાગકણ અને ક્લોરિનના કારણે આંખમાં એલર્જી થાય છે. આ સાથે બળતરા અને ખંજવાળની સમસ્યા પણ રહે છે. અન્ય કેટગરીમાં ઈન્ફેક્ટિવ કંજક્ટિવાઈટિસ આવે છે. તેમાં બેક્ટેરિયા અને ફરી વાયરસના કારણે ઈન્ફેક્શન થાય છે. આ સીઝનમાં આંખને અડવાનું ટાળવું અને સાથે કોઈ પણ દવાનો ઉપયોગ કરવાનું ટાળવું યોગ્ય રહે છે. શક્ય હોય તો ઘરની બહાર નીકળતા સમયે ચશ્મા કે ગોગલ્સનો ઉપયોગ કરવો. કંજક્ટિવાઈટિસ પહેલા એક આંખમાં થાય છે અને પછી બીજી આંખમાં. આ સિવાય કેટલાક કેસમાં બંને આંખમાં પણ સંક્રમણ થઈ શકે છે. આ સાથે દર્દીને તાવ જેવું પણ અનુભવાઈ શકે છે.