આજે એટલે કે 16 એપ્રિલનાં રોજ હનુમાન જન્મોત્સવ છે. જાણો આજના શુભ મુહૂર્ત અને હનુમાનજીની પૂજાવિધિ વિષે
આજે છે હનુમાન જન્મોત્સવ
બજરંગબલીને પ્રસન્ન કરવા રાખો વ્રત
ચૈત્ર મહિનાની પૂર્ણિમાનાં દિવસે મનાવવામાં આવે છે હનુમાન જન્મોત્સવ
હનુમાન જન્મોત્સવ ભગવાન હનુમાનજીનાં જન્મ દિવસનાં રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભક્તો બજરંગબલીનાં નામ પર વ્રત રાખે છે. દર વર્ષે હનુમાન જન્મોત્સવ ચૈત્ર મહિનાની પૂર્ણિમાનાં દિવસે મનાવવામાં આવે છે, જોકે ઘણી જગ્યાઓ પર આ ઉત્સવ કાર્તિક મહિનાનાં કૃષ્ણપક્ષનાં ચૌદમાં દિવસે પણ મનાવાય છે. આ વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા 16 એપ્રિલ શનિવાર એટલે કે આજે છે.
હનુમાન જન્મોત્સવ પર બનતા શુભ યોગ
16 એપ્રિલનાં રોજ સવારે 5 કલાક અને 34 મિનિટથી હર્ષણ યોગ શરુ થઇ ગયો છે, જે 17 એપ્રિલ 2022નાં રોજ મોદી રાત્રે 2 કલાક 45 મિનિટ પર સમાપ્ત થશે.
હર્ષણ યોગનું મહત્વ
નામથી જ સ્પષ્ટ થાય છે કે હર્ષનો અર્થ કે ખુશી તથા પ્રસન્નતા. જ્યોતિષ અનુસાર, આ યોગમાં કરવામાં આવેલા કાર્યો ખુશી અપાવે છે.
કેટલા વાગ્યાથી શરુ થશે ચૈત્ર પૂર્ણિમા
હિંદુ પંચાંગ અનુસાર, પૂર્ણિમા ઈથી 16 એપ્રિલ 2022, શનિવારે મોદી રાત્રે 2 કલાક અને 26 મિનિટથી શરુ થશે, જે 17 એપ્રિલ 2022 રવિવારે સવારે 12 કલાક અને 24 મિનિટ પર સમાપ્ત થશે.
હનુમાનજીની પૂજાવિધિ
વ્રતની આગલી રાત્રે જમીન પર સૂતા પહેલા ભગવાન રામ અને માતા સીતાની સાથે સાથે હનુમાનજીને પણ યાદ કરો.
સવારે વહેલા ઉઠીને ફરીથી રામ-સીતા તથા હનુમાનજીને યાદ કરો.
હવે હાથમાં ગંગાજળ લઈને વ્રત સંકલ્પ કરો.
ત્યાર બાદ, પૂર્વ તરફ ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો.