રક્ષાબંધનનું પર્વ એટલે ભાઇ બહેનના અતૂટ પ્રેમનું બંધન. રક્ષાબંધનનો તહેવાર વર્ષોથી ઉજવવામાં આવે છે અને આજે પણ ભાઇબહેનનો આ તહેવાર એટલા જ પ્રેમથી ઉજવવામાં વે છે. બહેન ભાઇના હાથે રાખડી બંધીને તેની રક્ષાની કામના કરે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
ભાઇબહેનના પ્રેમનો તહેવાર
પૌરાણિક કથા છે રક્ષાબંધનની
ક્યારે છે રક્ષાબંધન
2020ના વર્ષમાં રક્ષાબંધનનો તહેવાર 3 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે અને 3 ઓગસ્ટે પૂનમ છે.
આ રીતે ઉજવો રક્ષાબંધન
રક્ષાબંધંનના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ કપડા પહેરો. બાદમાં ઘરને સાફ કરી લો. પૂજાની થાળી તૈયાર કરો જેમાં કંકુ ચોખા દિવો અને પુષ્પ રાખો. ભાઇને સામે બેસાડીને તેના લલાટ પર તિલક કરો, ચોખા લગાવી આરતી ઉતારો અને રાખડી પર ચાંદલો કરીને ભાઇના કાંડે રાખડી બાંધી તેની રક્ષાની કામના કરો. રાખડી બાંધ્યા બાદ ભાઇનું મોઢુ મિઠાઇથી ગળ્યું કરાવો.
શા માટે ઉજવાય છે રક્ષાબંધન
પૌરાણિક કથા અનુસાર, રાજસૂય યજ્ઞ વખતે ભગવાન શ્રીકૃષ્ણને દ્વોપદીએ રક્ષા સ્વરૂપે પોતાના પાલવમાંથી કપડુ ફાડીને બાંધ્યું હતું, આ બાદથી જ રક્ષાબંધનની શરૂઆત થઇ હતી. રક્ષાબંધનના દિવસે અભ્યાસ શરૂ કરવાને શુભ માનવામાં આવ્યું છે.