પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા સ્કીમમાં રોજ 50 રૂપિયાનું રોકાણ કરવાથી વર્ષો બાદ 35 લાખનું તગડું રિટર્ન મળે છે. જાણો આ સ્કીમ વિશે વિગતવાર
પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા સ્કીમમાં દર મહિને ભરવું પડશે લગભગ 1500 રૂપિયાનું પ્રીમિયમ
દરરોજ 50 રૂપિયા ભરવાથી વર્ષો બાદ મળશે 35 લાખનું રિટર્ન
19 થી 55 વર્ષની વય વચ્ચેનો ભારતીય નાગરિક ઉઠાવી શકે છે આ સ્કીમનો લાભ
પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા સ્કીમમાં દર મહિને ભરવું પડશે લગભગ 1500 રૂપિયાનું પ્રીમિયમ
પોસ્ટ ઓફિસમાં રોકાણની અલગ અલગ સ્કીમનાં ઓપ્શન છે. આ યોજનાઓમાં તમને શાનદાર રિટર્ન તો મળે જ છે, સાથે જ તમારા પૈસા સુરક્ષિત પણ રહે છે. પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં તમારા રોકાણ પર રિટર્ન મળવાની ગેરંટી હોય છે. પોસ્ટ ઓફિસની આવી જ એક સ્કીમ ગ્રામ સુરક્ષા સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણકાર થોડા પૈસાનું રોકાણ કરીને મોટો ફાયદો ઉઠાવી શકે છે. પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા સ્કીમમાં ઓછા જોખમ સાથે શાનદાર રિટર્નનું બેનિફિટ મળે છે.
સ્કીમમાં રોકાણકારે દર મહિને 1500 રૂપિયા જમા કરવા પડે છે અને મેચ્યોરિટીના સમયે લગભગ 31થી 35 લાખ રૂપિયા મળે છે.
યોગ્યતા
19 થી 55 વર્ષની વય વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરી શકે છે. આ ઉપરાંત, આ યોજના હેઠળ લઘુત્તમ વીમાની રકમ 10 હજારથી 10 લાખ રૂપિયાની વચ્ચે છે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણકાર પ્રીમિયમની ચુકવણી માસિક, ત્રિમાસિક, હાફ યરલી કે યરલીનાં આધાર પર કરી શકે છે. રોકાણકાર પ્રીમિયમની ચુકવણી માટે 30 દિવસના સમયનો ફાયદો લઈ શકે છે.
રિટર્નનું કેલ્ક્યુલેશન
માની લો, જો કોઈ રોકાણકાર આ સ્કીમમાં 19 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું શરૂ કરી દે છે અને તેનું મિનિમમ સમ એશ્યૉર્ડ 10 લાખ રૂપિયા છે, તો રોકાણકારોએ 55 વર્ષની ઉંમરમાં લગભગ 31.60 લાખ રૂપિયા મેળવવા માટે દર મહિને 1515 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે. જ્યારે જો 1463 રૂપિયા પ્રતિ મહિનાની ચુકવણી દર મહિને કરવામાં આવે છે, તો 58 વર્ષે 33.40 લાખ રૂપિયા મળશે અને 1411 રૂપિયાનું દર મહિને જો પ્રીમિયમ ભરો છો, તો 60 વર્ષની ઉંમરે 34.60 લાખનું રિટર્ન મળશે એટલે કે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમને રોજ લગભગ 50 રૂપિયા અપવ પર વર્ષો બાદ 35 લાખનું તગડું રિટર્ન મળશે.
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે તાજેતરમાં પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના પર વ્યાજ દર 6.6 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમના રોકાણકારોને સતત 9 ક્વાર્ટર બાદ થોડી રાહત આપી છે. ડિસેમ્બર ક્વાર્ટર માટે કેટલીક નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે હવે રોકાણકારોને આ યોજનાઓ પર વધુ નફો મળશે.