જો તમે પણ સરકારી યોજનાઓમાં ઇનવેસ્ટ કરો છો તો કેન્દ્ર સરકારની આ યોજનામાં ઇનવેસ્ટ કરી લેવાથી જોરદાર ફાયદો મળશે.
પ્રધાનમંત્રી મોદી 28 રૂપિયામાં 4 લાખનો આપશે ફાયદો
28 રૂપિયા મહિને ભરીને 4 લાખનો લાભ લો
બે યોજનામાં રોકાણ કરીને મેળવો સારુ વળતર
28 રૂપિયા મહિને ભરો
આ સ્કીમમાં વાર્ષિક 342 એટલે કે મહિને માત્ર 28 રૂપિયા ભરીને 4 લાખ રૂપિયા સુધીનો એક્સ્ટ્રા બેનેફિટ લઇ શકો છો.
4 લાખનો બેનેફિટ લેવા શું કરશો?
4 લાખ રૂપિયાનો લાભ મેળવવા માટે તમારે સરકારની બે યોજનાઓમાં રોકાણ કરવું પડશે. આ યોજનાઓ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY). આ યોજનાઓમાં રોકાણની રકમ ઘણી ઓછી છે.
PMJJBY માત્ર 330 રૂપિયાના વાર્ષિક હપ્તા પર 2 લાખનો લાભ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) માટે વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. આ યોજના હેઠળ વ્યક્તિને જીવન કવર મળે છે. જો વીમાધારક વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PMSBY છે) યોજના ઓછા પ્રીમિયમ સાથે જીવન વીમો પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે PMSBY કેન્દ્ર સરકારની એક એવી યોજના છે, જેના હેઠળ ખાતાધારકને માત્ર 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે.
અટલ પેન્શન યોજના
કેન્દ્ર સરકારે ઓછા રોકાણ પર પેન્શનની ગેરંટી માટે અટલ પેન્શન યોજના શરૂ કરી છે. અટલ પેન્શન યોજના હેઠળ, સરકાર દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની ખાતરી આપે છે. સરકારની આ યોજનામાં 40 વર્ષ સુધીની વ્યક્તિ અરજી કરી શકે છે.