પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના વારણસી પ્રવાસ પર IIT BHUમાં 833 ટેરાફ્લોપ સુપર કમ્પ્યૂટર 'પરમ શિવાય'નું લોકાર્પણ કર્યુ. આ સાથે જ ભારતના ડિજિટલ ક્ષેત્રમાં વધારે મજબૂત થઇ ગયુ. તમને જણાવી દઇએ કે આ કમ્પ્યૂટર સંપૂર્ણ રીતે ભારતે બનાવ્યુ છે જેથી આ કમ્પ્યૂટર આવવાથી 'મેક ઇન ઇન્ડિયા' અને 'ડિજિટલ ઇન્ડિયા' આજે નવી જગ્યાએ પહોંચી ચૂક્યુ છે.
IIT BHUના એન્જિનીયરિંગ કૉલેજોમાં વૈજ્ઞાનિક શિક્ષક અને શોધના છાત્રો પ્રયોગશાળામા આ કમ્પ્યૂટરનો લાભ ઉઠાવી શકાશે. આ સુપર કમ્પ્યૂટરની મદદથી સામાન્ય માણસની સમસ્યાઓનું નિરાકરણ આવશે જેમાં સિંચાઇ યોજનાઓ સ્વાસ્થ્ય એક સસ્તી દવા જેવા સામાજિક મુદ્દાઓ શામેલ છે.
આ સિવાય નવોદય વિદ્યાલયના 40% કમ્પ્યૂટરની શક્તિનો ઉયપોગ કરશે. તમને જણાવી દઇએ કે આ કમ્પ્યૂટર આવવાથી જે રિસર્ચ કરવામાં મહિનાઓનો સમય લાગતો તેણે સુપર કમ્પ્યૂટરની મદદથી મિનિટોમાં કરી શકાશે. તમને જણાવી દઇએ કે 1991માં '8000-પરમ' નામથી ભારતનું પહેલુ સુપર કમ્પ્યૂટર લોન્ચ કરવામાં આવ્યુ હતુ. એક રિપોર્ટ અનુસાર 833 ટેરાફ્લૉપ ક્ષમતાનું આ સુપર કમ્પ્યૂટર 32.5 કરોડના બજેટથી તૈયાર કરવામાં આવ્યુ છે.