કોરોના કાળમાં આજે જગતના નાથ નગર યાત્રાએ નિકળવાના છે. પુરી અને અમદાવાદની રથયાત્રાનું વિશ્વભરમાં અનોખું મહાત્મય છે.
ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે
પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ
પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ
કોરોનાને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે રથયાત્રાની સરકારે મંજૂરી તો આપી છે પરંતુ કોવિડ પ્રોટોકોલ અને મર્યાદિત લોકોની હાજરી સાથે જ યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રામાં પહિંદ વિધિનું વિશેષ મહાત્યમ રહેલુ છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવે છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે શું છે પહિંદ વિધિનું મહાત્મય.
શું છે પહિંદ વિધિ ?
જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે. જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.
1990થી પહિંદ વિધિની શરૂઆત
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ નગરયાત્રાએ નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે. તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે. ગુજરાતમાં 1990થી પહિંદ વિધિની શરૂઆત કરાઈ હતી.
કર્ફ્યૂના નિયમોનું પાલન કરવા માટે મહંત દિલીપદાજીએ અપીલ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રાજ્ય સરકારે રથયાત્રાને મંજૂરી આપી છે. ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ કહ્યું કે રાજ્ય સરકારે કોરોના નિયમ મુજબ રથયાત્રા કાઢવા મંજૂરી આપી છે. આ સમાચાર સાંભળી ખુશી થાય છે કે નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે નગરજનોને કર્ફ્યૂના નિયમોનું પાલન કરવા માટે દિલીપદાજીએ અપીલ કરી છે અને ટીવીના માધ્યમથી ભગવાનના દર્શન કરવા કહ્યું છે. મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતા હવે ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે.