અધિક માસમાં ભગવાનની આરાધનાનું અલગ પુણ્ય મળે છે. ભગવાન વિષ્ણુના દસ અવતાર વિશે જાણવું તેની કથા વિશે જાણવુ તેનાથી પુણ્ય મળે છે. તેમાં પણ વિષ્ણુ ભગવાનની અતિ પ્રિય પદ્મિની એકાદશીનું વ્રત કરશો તો સુખની રેલમછેલ થઇ જશે.
વિષ્ણુ ભગવાનની પ્રિય એકાદશી
પહ્મિની એકાદશીથી થશે લાભ
અધિકમાસમાં કરો એકાદશી
પદ્મિની એકાદશી વ્રત અધિક મહિનામાં રાખવામાં આવે છે આ વખતે આ એકાદશી 27 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવશે. પુરુષોત્તમ માસમાં આવતી હોવાના કારણે આ એકાદશીને પુરુષોત્તમ એકાદશી કહેવામાં આવે છે. અધિકમાસના શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશી માનવામાં આવે છે, કમલા એકાદશીને પદ્મિની એકાદશી પણ કહેવામાં આવે છે.
કમલા એકાદશીનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. કારણ કે આ એકાદશી ત્રણ વર્ષે એક જ વાર આવે છે. આ એકાદશી પરમ પવિત્ર અને પાપ દૂર કરનારી છે. સ્ત્રી તથા પુરુષોને મોક્ષ આપનાર છે તથા દુઃખ અને દારિદ્રનો નાશ કરનારી છે. જે લોકોના જીવનમાં ભાગ્યોદય ન થતો હોય તો આ એકાદશીનું વ્રત કરવાથી ભાગ્યોદય થાય છે અને પોતે કરેલી મહેનતનું પૂરતું ફળ મળે છે. યશ, માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.
ભગવાન વિષ્ણુને પદ્મિની એકાદશી ખૂબ પ્રિય છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પદ્મિની એકાદશી વ્રત રાખે છે તેને વિષ્ણુ લોક મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ.
આ દિવસે દાનનું એક વિશેષ મહત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદોને તલ, વસ્ત્ર, ધન અને ફળ વગેરેનું દાન કરો. જે લોકો વ્રત ન કરતા હોય તે આ વસ્તુઓનું દાન કરી શકે છે. દાનથી પણ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. પદ્મિની એકાદશીએ ॐ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો જોઇએ. સાંજે તુલસીજીની સામે ઘીનો દીવો પ્રગટાવી મંત્રનો જાપ કરવાથી અક્ષય ગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે.