ભગવાન વિષ્ણુને સમર્પિત નિર્જળા અગિયારસનું વ્રત કરવા માટે દરેક એકાદશી વ્રત કરવાનું પહેલું ફળ મળે છે. આ સાથે નિર્જળા એકાદશીએ તમામ ઈચ્છા પૂરી કરનારો સિદ્ધિ યોગ બની રહ્યો છે.
21 જૂને Nirjala Ekadashi
બની રહ્યો છે siddhi yog
દરેક ઈચ્છાઓ થશે પૂરી
ભગવાન વિષ્ણુને સમર્પિત નિર્જળા અગિયારસનું વ્રત કરવા માટે દરેક એકાદશી વ્રત કરવાનું પહેલું ફળ મળે છે. આ સાથે નિર્જળા એકાદશીએ તમામ ઈચ્છા પૂરી કરનારો સિદ્ધિ યોગ બની રહ્યો છે.
21 જૂન 2021 સોમવારે નિર્જળા અગિયારસ ખાસ બની રહેશે. આ દિવસે 2 શુભ યોગ બની રહ્યો છે, શિવ અને સિદ્ધિ બની રહ્યા છે. તેના સિવાય 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ પણ રહેશે. આ દિવસે સૂર્ય જલ્દી ઉદય થઈને મોડો આથમશે. સામાન્ય દિવસની તુલનામાં સૂર્યના કિરણો સૌથી વધારે સમય સુધી ધરતી પર રહેશે. આ પછી સૂર્ય દક્ષિણની તરફ ચાલવાનું શરૂ કરશે. 23 સપ્ટેમ્બરે રાત દિવસ બરોબર રહેશે. વર્ષની સૌથી મોટી અગિયારસ માનવામાં આવશે. તેનું મહત્વ, મૂહૂર્ત અને પૂજન વિધિ પણ જાણી લો તે જરૂરી છે.
દરેક ઈચ્છાને પૂરો કરે છે સિદ્ધિ યોગ
જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસને નિર્જલા અગિયારસ કહે છે. આ વર્ષે આ દિવસે શિવ અને સિદ્ધિ યોગ બનવાથી આ અગિયારસ વધારે મહત્વનું છે. 21 જૂને સાંજે 5.34 મિનિટે શિવ યોગ રહેશે અને સાથે સિદ્ધિયોગની શરૂઆત થશે. આ યોગ તમામ ઈચ્છાઓને પૂરી કરનારો માનવામાં આવે છે. આ સમયે કરાયેલા દરેક કામ સફળ થાય છે. શિવ યોગ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયે ધાર્મિક અનુષ્ઠાન, પૂજા પાઠ કે દાન પણ શુભ પરિણામ આપે છે. જ્યોતિષના માનવા અનુસાર અગિયારસના દિવસે સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં, મંગળ નીચ રાશિ કર્કમાં અને વક્રી શનિ મકરમાં અને વક્રી ગુરુ કુંભ રાશિમાં રહેશે.
નિર્જળા અગિયારનું આ છે શુભ મૂહૂર્ત
આ વ્રત અગિયારસના સૂર્યોદયથી લઈને આવનારા દિવસના સૂર્યોદય સુધી 24 કલાકનું માનવામાં આવે છે. આ વ્રત 20 જૂન રવિવારે સાંજે 4.21 મિનિટથી શરૂ થશે અને 21 જૂન સોમવાર બપોરે 1.31 મિનિટ સુધી રહેશે.