13 જૂનના રોજ સૌથી મોટી નિર્જળા અગિયારસ છે. પંચાંગમાં આ અગિયારસનું સૌથી વધારે મહત્વ છે. તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે.
માન્યતા અનુસાર, મહાભારત કાળમાં પાંડવ પુત્ર ભીમે આ વ્રત કર્યું હતું, એટલા માટે તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. જાણીતા જ્યોતિષ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
-વ્રત કરનાર વ્યક્તિએ નિર્જળા અગિયારસની તૈયારી એક દિવસ પહેલા જ કરી લેવી જોઈએ. દશમના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ.
-ભક્તે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે. સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું.
- સ્નાન કરતી વેળાએ પવિત્ર નદીઓના નામનો જાપ કરવો. એવું કરવાથી ઘરમાં જ ગંગા સ્નાનનું પુણ્ય મળી જાય ચે.
- સ્નાન પછી ભગવાન વિષ્ણુ સામે વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન સામે કહેવું કે તમે વ્રત કરવા ઈચ્છો છો અને તેને પૂરું કરવાની શક્તિ આપો.
- અગિયારસના દિવસે પાણીનું દાન કરવું. પાણીનું પરબ હોય ત્યાં માટલાનું દાન કરવું. શક્ય હોય તો ગૌશાળામાં ધનનું દાન કરવું.
- અગિયારસની સાંજે તુલસીની વિશેષ પૂજા કરવી. સાંજે તુલસી પાસે દીવો કરવો અને પરિક્રમા કરવી.
- આગળના દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું. પૂજા-પાઠ કરવો. ત્યાર પછી ભોજન લેવું.
- નિર્જળા અગિયારસ કરનાર મોટાભાગના લોકો પાણી પણ પીતા નથી. જો તમારા માટે શક્ય ન હોય તો ફળોનો રસ લેવો, પાણી, દૂધ, ફળાહારનું સેવાન કરવું. પોતાની શક્તિ મુજબ વ્રત કરવું.
-અગિયારસના દિવસે ધાર્મિક આચરણ કરવું. ક્રોધ ન કરવો. ધરમાં શાંતિનું વાતાવરણ રાખવું. માતા-પિતાના આશીર્વાદ લેવા અને જીવનસાથીનું સન્માન કરવું.