આ સુવિધા એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ તેમના એજન્ટના વર્તનથી ખુશ નથી અને તેમને બદલવા માંગે છે. ભારતમાં અગાઉ વીમા એજન્ટ પોર્ટેબિલિટી ઉપલબ્ધ ન હતી.
વીમા પોલિસી હોલ્ડર્સ માટે ખુશખબર
હવે IRDA આપી રહ્યું છે ખાસ સુવિધા
બદલી શકાશે વીમા એજન્ટ
જો તમે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કે અન્ય કોઈ કંપનીની પોલિસી લીધી છે તો આ સમાચાર તમારા માટે કામના છે. વીમા પોલિસીના એજન્ટની એજન્ટ પોર્ટેબિલિટીની સુવિધા ટૂંક સમયમાં દેશમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે.
20 વર્ષથી લાંબા સમયની પોલિસી પર મળશે સુવિધા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IRDAI એટલે કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નિર્ણય લીધો છે કે જો કોઈ પોલિસીધારક તેના ઈન્સ્યોરન્સ એજન્ટના કામથી ખુશ નથી, તો તે તેની જરૂરિયાત મુજબ એજન્ટ બદલી શકે છે. આ નિયમ સામાન્ય વીમા એજન્ટને લાગુ પડતો નથી. પરંતુ તમે જો 20 વર્ષ જેવી લાંબા ગાળાની જીવન વીમા પોલિસી લીધી છે તો તેના પર આ સુવિધા મેળવી શકો છો.
કોઈપણ પ્રકારના વિવાદ પર એજન્ટ બદલી શકાશે
જો પોલિસીધારક જૂના એજન્ટને કાઢીને નવો એજન્ટ રાખે છે. તો વીમા પર મળતું કમિશન નવા એજન્ટને મળવા લાગે છે. આ સુવિધા એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ તેમના એજન્ટના વર્તનથી ખુશ નથી અને તેમને બદલવા માંગે છે.
પહેલા ભારતમાં ન હતી આ સેવા
ભારતમાં અગાઉ વીમા એજન્ટ પોર્ટેબિલિટીની સેવા ન હતી. એવું જોવામાં આવ્યું છે કે ઘણી વખત એજન્ટો તેમના ફાયદા માટે લોકોને આવી પોલિસીઓ વેચે છે જેમાં એજન્ટોને વધુ ફાયદો મળે છે. આવી સ્થિતિમાં પાછળથી એજન્ટ અને પોલિસીધારક વચ્ચે વિવાદ થાય છે. IRDAI ના એજન્ટ પોર્ટેબિલિટી નિયમના અમલીકરણ પછી, તમે તમારી અનુકૂળતા મુજબ પોલિસી લીધા પછી પણ એજન્ટને બદલી શકશો.
પોલિસી હોલ્ડર્સની હકમાં નિર્ણય
એજન્ટ પોર્ટેબિલિટીનો આ નિયમ ભારતીય જીવન વીમા નિગમ તેમજ અન્ય વીમા કંપનીઓના એજન્ટોને લાગુ પડશે. નોંધનીય છે કે IRDA એ છેલ્લા કેટલાક દિવસોમાં આવા ઘણા નિર્ણયો લીધા છે જેથી ગ્રાહકોને મહત્તમ સુવિધા મળી શકે. આ પહેલા વીમા નિયામકે વીમા કંપનીઓને તેમના ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર હોસ્પિટલને પેનલમાં મૂકવાની પણ છૂટ આપી હતી.