કિન્નરોનું જીવન સામાન્ય લોકો કરતા અલગ હોય છે અને તેમની જીવનશૈલી તથા રિતરિવાજો પણ એટલા જ અલગ અને અનોખા હોય છે. કિન્નરોના જીવ સાથે જોડાયેલા અનેક તથ્યો વિશે તમે વાંચ્યું હશે. સામાન્ય લોકો પણ તેમના જીવન સાથે જોડાયેલી વાતોથી મહદઅંશે જાણીતા હોય છે. પરંતુ આજે અમે તેમના મૃત્યુ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી રહ્યાં છીએ. જેમાં તેમના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવે છે મૃતદેહ સાથે શું કરવામાં આવે છે. તેઓ સમુદાયના કોઇ સદસ્યના મૃત્યુ પછી માતમ મનાવે છે કે નહીં વગેરે.. તો ચાલો આ અંગે જાણીએ.
ગુપ્ત રીતે કરવામાં આવે છે અંતિમ સંસ્કાર:
કિન્નરના મોત બાદ તેમના અંતિમ સંસ્કાર અંત્યત ગુપ્ત રીતે કરવામાં આવે છે. જ્યારે પણ કોઇ કિન્નરનું મોત થાય છે ત્યારે આ ક્રિયા સમુદાયની બહારના કોઇ પણ વ્યકિતથી છૂપાવવી કરવામાં આવે છે તેની પાછળ એવી માન્યતા છે કે જો કોઇ સામાન્ય વ્યક્તિ દ્વારા મૃતક કિન્નરની અંતિમ વિધિને જોવામાં આવે તો મૃતક બીજા જન્મમાં પણ કિન્નર જ બને છે. કિન્નર સમુદાયમાં મૃતદેહને અગ્નિ આપવાનો રિવાજ નથી પરંતુ તેને દફનાવવામાં આવે છે.
આ કારણથી શબને મારવામાં આવે છે જૂતા-ચપ્પલ:
કિન્નરોની અંતિમ યાત્રા દિવસે નહીં પરંતુ રાતના સમયે કાઢવામાં આવે છે. શબયાત્રા ઉઠાવતા પહેલા મૃતદેહને જૂતા-ચપ્પલ મારવામાં આવે છે. સમુદાયમાં કોઇપણ કિન્નરના મોત બાદ સંપૂર્ણ સમુદાય એક અઠવાડિયા સુધી ભૂખ્યો રહે છે.
શા માટે મોત બાદ કરવામાં આવે છે ઉજવણી:
કિન્નર સમાજની સૌથી મોટી વિશેષતા એ છે કે કોઇપણ કિન્નરના મોત બાદ આ લોકો માતમ મનાવતા નથી. એવી માન્યતા છે કે મૃત્યુ બાદ એ કિન્નરને આ નર્ક જેવા જીવનમાંથી છૂટકારો મળી જાય છે. તેથી મર્યા પછી આ લોકો ખુશી મનાવે છે. તેટલું જ નહીં આ લોકો પોતાના પૈસાથી દાન કાર્ય પણ કરાવે છે. જેથી તેમને ફરીથી આ રૂપમાં જન્મ લેવો ન પડે.