જેઠ મહિનાની પૂર્ણિમાનું ખુબ મહત્વ હોય છે. સ્કંદપુરાણમાં તો આ પૂર્ણિમાને પર્વ માનવામાં આવ્યું છે.
જેઠ મહિનાની પૂર્ણિમાનું ખુબ મહત્વ હોય છે. સ્કંદપુરાણમાં તો આ પૂર્ણિમાને પર્વ માનવામાં આવ્યું છે.
જયેષ્ઠ પૂર્ણિમાનું મહત્વ જાણો
એક વર્ષ સુધી નહી બને આ સંયોગ
ગુરુવારના દિવસે આવશે આ તિથી
આ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે વ્રત અને દાન કરવાથી ખુબ પુણ્ય મળે છે. આ વખતે આ વ્રત 24 જૂનના દિવસે આવે છે. તે દિવસે અન્ય એક શુભ સંયોગ બની રહ્યો છે.
આવતા વર્ષ સુધી નહી બને આ સંયોગ
આ પૂર્ણિમા તિથી ગુરુવારના દિવસે છે અને પૂર્ણિમા ગુરુવારે હોવી તે ખુબ જ શુભ માનવામાં આવ્યો છે. ગુરુવારે પૂર્ણિમા પર કરવામાં આવેલા દાન પુણ્યથી સુખ અને સમૃદ્ધિ આવે છે તેમજ સૌભાગ્યમાં વધારો થાય છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવુ જોઇએ. જો આ વર્ષે ચૂકી જશો તો આવતા વર્ષ સુધી આવો સંયોગ નહી બને.
ગંગા સ્નાનનું મહત્વ
સામાન્ય રીતે ત્રીજમાં ગંગા સ્નાનનું ખુબ મહત્વ છે પરંતુ જયેષ્ઠ પૂર્ણિમા પર ગંગા સ્નાન કરવાથી ખુબ લાભ થાય છે. હાલ કોરોનાના કારણે ગંગા સ્નાન સંભવ નથી પરંતુ ઘરે ન્હાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાથી ફાયદો થશે. સાથે જ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઇએ.
આ દિવસે ચંદ્રમા સોળે કળાએ ખિલેલો હોય છે. એટલે કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે 169થી 180 ડિગ્રીનું અંતર હોય છે જેનાથી બંને સામ સામેના આકાશમાં હોય છે. આ દિવસે ઔષધિઓનું સેવન કરવાથી ઉંમર વધે છે.