દવા કે કેપ્સૂલ ગળતી વખતે ક્યારેક તમને પણ વિચાર આવ્યો જ હશે કે કેપ્સૂલના પ્લાસ્ટિકનું પેટમાં ગયા બાદ શું થતું હશે? આજે અમે તમારા સવાલનો જવાબ આપીશું. આ માટે પહેલા એ જાણવું જરૂરી છે કે કેપ્સૂલનું ઉપરનું કવર શેમાંથી બને છે. શું આ વસ્તુ ખરેખર પ્લાસ્ટિક હોય છે?
કેપ્સૂલ પર બે પ્રકારના કવર હોય છે. એક હાર્ડ શિલ્ડ (સખત પડ) બીજું સોફ્ટ શિલ્ડ (નરમ પડ). બંને કવર બાયોડિગ્રેડેબલ સામગ્રીમાંથી બનેલા હોય છે. બંને પ્રકારના કવરવાળી કેપ્સૂલ પ્રાણીઓ અને વૃક્ષોના પ્રોટીનમાંથી બનેલી હોય છે.
જે કેપ્સૂલનું કવર એનિમલ પ્રોટીનથી બનેલું હોય છે તે સામગ્રીને જિલેટિન કહેવાય છે. જે પ્રાણીઓનાં હાડકાં અને ચામડીને ઉકાળીને કાઢવામાં આવે છે. મરઘી, માછલી, ડુક્કર, ગાય કે અન્ય પ્રજાતિના પ્રાણીઓમાંથી આ બને છે.
જે કેપ્સૂલનું કવર એનિમલ પ્રોટીનથી બનેલું હોય છે તે સામગ્રીને જિલેટિન કહેવાય છે. જે પ્રાણીઓનાં હાડકાં અને ચામડીને ઉકાળીને કાઢવામાં આવે છે. મરઘી, માછલી, ડુક્કર, ગાય કે અન્ય પ્રજાતિના પ્રાણીઓમાંથી આ બને છે.
જે કેપ્સૂલનું કવર પ્લાન્ટ પ્રોટીન એટલે કે છોડ કે વૃક્ષોની છાલમાંથી બને છે, તેના માટે Cellulose પ્રજાતિના વૃક્ષોનો ઉપયોગ થાય છે.
જિલેટિન (Gelatin) કોલેજન (Collagen) થી બને છે. રેશાવાળો આ પદાર્થ પ્રાણીઓના હાડકાં, અસ્થિકૂર્ચા અને કંડરા (Cartilage and tendon)માં મળી આવે છે. જિલેટિનનો ઉપયોગ જેલી બનાવવા માટે પણ થાય છે.
સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સંશોધન પ્રમાણે મોટાભાગની દવા કંપનીઓ પશુઓમાંથી બનેલા જિલેટિન વાળા કેપ્સૂલનું જ વેચાણ કરે છે.
જૈન ધર્મના લોકો યૂનિયન હેલ્થ મિનિસ્ટ્રીમાં આ અંગે રજુઆત કરી ચુક્યા છે. તેમણે જિલેટિનથી બનેલી કેપ્સૂલ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. તેમના કહેવા પ્રમાણે આ નૉન વેજ રીત છે, તેમના ધર્મમાં માનતા લોકો માટે આ યોગ્ય નથી.
જિલેટિનથી કેપ્સૂલ કવર બનાવવા અંગે માર્ચ 2017માં મેનકા ગાંધીએ હેલ્થ મિનિસ્ટ્રીને એક પત્ર લખ્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી. જેમાં તેમણે જિલેટિનના ઉપયોગને કારણે અમુક ધર્મના લોકોની ભાવનાઓને ઠેંસ પહોંચતી હોવાની દલીલ કરીને છોડ તેમજ વૃક્ષોની છાલમાંથી કેપ્સૂલ કવર બનાવવાની ભલામણી કરી હતી.
આ મામલે સ્વાસ્થ્ય મંત્રાલયે જિલેટિનના બદલે વૃક્ષોની છાલમાંથી કેપ્સૂલ કવર બનાવવા મામલે એક સમિતિની પણ રચના કરી હતી.
ડ્રગ ટેક્નિકલ એડ્વાઇઝરી બોર્ડ આ ભલામણને બિનજરૂરી માની હતી. બોર્ડના કહેવા પ્રમાણે દવાઓને વેજ નૉનવેજમાં વહેંચી દેવી યોગ્ય નથી. જોકે, અત્યાર સુધી આ સમિતિની કોઈ ભલામણ સામે આવી નથી.