કેન્દ્રની મોદી સરકારે ખાનગી નોકરી કરતા લોકોને મોટી સુવિધા આપી છે. જો કર્મચારીની નોકરી જતી રહેશે તો સરકાર તેમને બે વર્ષ સુધી પૈસા આપશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ નોકરી છૂટવા પર આર્થિક સહાય પૂરી પાડે છે. ESICએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે.
'અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના' હેઠળ નોકરી છૂટવા પર આર્થિક સહાય મળશે
નોકરી જશે તો ઈએસઆઈસી કર્મચારીને બે વર્ષ પૈસા આપશે
આ સુવિધાનો લાભ ફક્ત એક જ વાર લઈ શકાશે
ESICએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે નોકરી છૂટવાનો અર્થ આવકનું નુકસાન નથી. રોજગારના અણધાર્યા નુકસાન અથવા રોજગારમાં થતી છટણીના કારણે ESIC 24 મહિનાના સમયગાળા માટે માસિક રોકડ રકમ ચૂકવે છે. અટલ વીમા કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે નોકરી ગુમાવનાર કર્મચારીએ ESIC વેબસાઇટ પર જઇને ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
ફોર્મ ભર્યા પછી તેમણે તેને ESICની કોઈ પણ બ્રાંચમાં સબમિટ કરવાનું રહેશે. આ ફોર્મ સાથે રૂ.20ના નોન-જ્યુડિશલ પેપર પર નોટરીથી એફિડેવિટ કરાવવાનું રહેશે, જેમાં AB-1થી AB-4 સુધીના ફોર્મ રજૂ કરવાના રહેશે. આ માટે ઓનલાઇન સુવિધા શરૂ થવાની છે. વધુ માહિતી વેબસાઇટ www.esic.nic.in પર ઉપલબ્ધ બનશે. આ સુવિધાનો લાભ ફક્ત એક જ વાર લઈ શકાશે.
ESICએ સુપર સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટના નિયમો પણ પહેલાં કરતાં વધુ સરળ બનાવ્યા છે. અગાઉ આ નિયમ અનુસાર બે વર્ષ સુધી નોકરી કરવી જરૂરી હતી, જેને હવે ઘટાડીને માત્ર 6 મહિના કરી દેવામાં આવી છે તેમજ યોગદાનની શરત 78 દિવસ કરી દેવામાં આવી છે.
ESIC સાથે વીમો કરાયેલ કોઈ પણ વ્યક્તિ કે જેને કોઈ પણ કારણસર કંપનીમાંથી હાંકી કાઢવામાં આવે અથવા તે વ્યક્તિ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ દાખલ કરવામાં આવે તો તેમને આ યોજનાનો લાભ મળતો નથી. આ સિવાય જે લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લે (VRS) તેમને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.