WHO ના કોરોના વાયરસને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકો માસ્કનો વપરાશ કરી રહ્યા છે પરંતુ WHO એ હજુ સુધી માસ્ક પહેરવાથી ચેપ નથી લાગતો તે વાતને સમર્થન નથી આપ્યુ. પરંતુ તમારે કેવા પ્રકારના માસ્ક પહેરવા જોઈએ અને પહેરેલા માસ્કોનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ તે જાણવું જરૂરી છે. કારણ કે, જો તમે માસ્કનો નિકાલ સારી રીતે નહીં કરો તો માસ્ક જ રોગનું વાહક બની શકે છે.
કોરોનાથી કેવી રીતે બચશો?
કેવા માસ્ક વાપરવા જોઈએ?
માસ્કનો ઉપયોગ કેવી રીતે કરશો?
ફેસ-માસ્કની ખરીદીમાં વિશ્વવ્યાપી વધારો થયો છે. પરંતુ માસ્ક પહેરીને શું આ ખરેખર ખતરનાક ચેપ ટાળી શકાય છે? છીંક, ખાંસી અને બોલતી વખતે હવામાં ફેલાતા નાના કણોના સંપર્કમાં આવીને COVID-19 વાયરસનો ચેપ લગી શકે છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે લોકોને માસ્ક પહેરવાની જરૂર નથી કારણ કે તે સાબિત થયું નથી કે તે લોકોને ચેપથી બચાવી શકે છે.
કેવી રીતે બચશો?
આ જીવલેણ વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે
જરૂરી ન હોય તો થોડા સમય માટે ગીચ સ્થળોએ જવાનું ટાળો.
જ્યારે તમે લોકોને મળો ત્યારે હાથ મિલાવશો નહીં અને માસ્ક પહેરીને જ બહાર નીકળો.
સામાન્ય માસ્ક આ વાયરસને રોકવા માટે બિનઅસરકારક છે.
તેથી મલ્ટિ-લેયર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
કેવા માસ્ક વાપરવા જોઈએ?
એવા માસ્ક ખરીદવાનો પ્રયાસ કરવો જોઈએ જે ધૂળ, ગંદકી, ગંધ અને બેક્ટેરિયાથી બચાવવા માટે સક્ષમ છે. એન્ટી ડસ્ટ અને એન્ટી પોલ્યુશન માસ્કમાં તમને ઘણા બધા વિકલ્પો મળશે જે તમને અનેક પ્રકારની મુશ્કેલીઓથી બચાવી શકે છે.
સર્જિકલ માસ્ક
આ યૂઝ એન્ડ થ્રો માસ્ક છે. તેનો ઉપયોગ ફક્ત એક જ વાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ એક કરતા વધુ વાર ન કરવો જોઈએ. આ માસ્ક હવાના કણોને ફિલ્ટર કરવામાં અસરકારક નથી.
N95 માસ્ક
તે હવાના કણોને પણ સાફ કરે છે. તેનું ફિલ્ટર 0.3 માઇક્રોન વ્યાસવાળા કણોને ફિલ્ટર કરી શકે છે. જો કે, કોરોના વાયરસનો વ્યાસ માત્ર 0.12 માઈક્રોન છે.
માસ્કનો ઉપયોગ કેવી રીતે કરશો?
માસ્ક પહેરતા પહેલા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝર અથવા સાબુ અને પાણીથી તમારા હાથ ધોવા
ખાતરી કરો કે ચહેરા અને માસ્ક વચ્ચે થોડું પણ અંતર ન રહેવું જોઈએ.
જ્યારે તમે માસ્ક વાપરી રહ્યા હો ત્યારે માસ્કના ઉપરના હિસ્સાને સ્પર્શ કરશો નહીં
માસ્ક ખરાબ થાય કે તરત જ તેને બદલી નાખો
માસ્કને પહેર્યા પછી તેને પાછળથી કાઢો, આગળનો ભાગ સ્પર્શ ન કરો.