મધ્યપ્રદેશના ઈન્દોરમાં બર્ડ ફ્લૂએ સરકારનું ટેન્શન વધારી દીધું છે. અહીંની ડેલી કોલેજમાં કાગડાના મોત બાદ તેમાં એચ5એન8 એવિયન ઈન્ફ્લુએન્ઝા વાયરસ મળ્યો છે. આ બર્ડ ફ્લૂનો પ્રકાર છે જે અન્યને સંક્રમિત કરતો નથી. આ વાયરસનું કનેક્શન રાજસ્થાન સાથે હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહીં પહેલાં 300 કાગડાના આ વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.
ઈન્દોરમાં બર્ડ ફ્લૂએ સરકારનું ટેન્શન વધાર્યું
એચ5એન8 એવિયન ઈન્ફ્લુએન્ઝા વાયરસ મળ્યો
આ વાયરસનું કનેક્શન રાજસ્થાન સાથે હોઈ શકે છે
આ વાયરસથી 300 કાગડાના થયા મોત, કરાઈ દફન વિધિ
કોરોના મહામારીનો ખતરો ઘટ્યો નથી કે બર્ડ ફ્લૂ નામના વાયરસે માથું ઉંચક્યું છે. રાજસ્થાન બાદ હવે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં મડત કાગડામાં બ્ર ફ્લૂના વાયરસના લક્ષણો જોવા મળઅયા છે. અહીંની ડેલી કોલેજમાં સતત કાગડાના મોત થઈ રહ્યા છે અને અનેક મોતનું કારણ એચ5એન8 એવિયન ઇન્ફ્લૂએન્ઝા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એચ5એન1 થી લઈને એચ5એન5 સુધીની ટાઇપના બર્ડ ફ્લૂ વાયરસ ઘણા ઘાતક હોય છે. આ વાયરસ એકથી અન્ય પક્ષીઓમાં ફેલાય છે.
હાલમાં જે મોત થઈ રહ્યા છે તે કાગડાઓ સુધી સીમિત
હાલમાં વાયરસના કારણે જે મોત થયા છે તેમાં ફક્ત કાગડાઓનો સમાવેશ થઈ રહ્યો છે. અન્ય પક્ષીઓના સંક્રમિત થવાનો ડર નથી. છતાં વાયરસના કારણે નગર નિગમ અને વેટરનીટી વિભાગના ડોક્ટરની ટીમ સતર્ક બની છે. ડેલી કોલેજમાં 83થી વધારે કાગડાના મોત થતાં તેમના સેમ્પલ મોકલાયા અને તેમાં એચ5એન8 એવિયન ઈન્ફ્લૂએન્ઝા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વેટરનીટી અને ડોક્ટર્સની ટીમ સાથે આખા વિસ્તારમાં અપાયું એલર્ટ
શનિવારે વેટરનીટી વિભાગના ડોક્ટર અને નિગમની ટીમ ડેલી કોલેજ પહોંચી અને છેલ્લા 3 દિવસમાં 50થી વધુ કાગડાના મોતની તપાસ શરૂ થઈ . તેમાંથી 2માં બર્ડ ફ્લૂ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે આખા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે. દરેકને બર્ડ ફ્લૂના પ્રોટોકોલનું પાલન કરવાના નિર્દેશ પણ અપાયા છે.
મૃત કાગડાઓને શનિવારે દફનાવવામાં આવ્યા
શનિવારે સવારે મૃત કાગડાઓને દફનાવવામાં આવ્યા છે. એક કર્મચારીએ પીપીઈ કિટ પહેરીને કાગડાઓની દફનવિધિ કરી. આ પહેલાં જેસીબીની મદદથી 6 ફીટ ઉંડો ખાડો ખોદાયો અને તેમાં કાગડાઓને રાખીને ઉપરથી ચૂનાનું લેટર કર્યા બાદ માટી નાંખી દેવામાં આવી હતી. રાહતની વાત એ છે કે વાયરસ ફક્ત કાગડાઓ સુધી સીમીત છે. તે ફઅરી બર્ડ છે. તેનાથી ક્યાંય પણ વાયરસ આવી શકે છે. શક્ય છે કે રાજસ્થાનથી આ વાયરસ આવ્યો હોય. આ પહેલાં આ વાયરસથી રાજસ્થાનમાં લગભગ 300 કાગડાના મોત થયા છે.