ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ખૂબ જ નમ્ર વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા. અહંકારથી તેઓ જોજનો દૂર હતા. ગયા વર્ષે તેમના નિધન સમયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કહ્યું કે વાજપેયીની એક જ ખૂબી હતી કે તેમનામાં અહંકાર જરાય ન હતો અને તેનાથી પ્રેરિત થઈને વિનમ્રતાને આત્મસાત કરવાનો હું પ્રયાસ કરું છું. આજે અહીં વાત કરવામાં આવી રહી છે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ખાસ વ્યક્તિત્વ અને ગુણોની.
અન્યને માટે હતા પ્રેરણાસ્ત્રોત
જ્યારે પણ સંસદ કે અન્ય સ્થાને કોઈને મળવાનું થતું અટલજી હંમેશા અન્યને દૂરથી જ નમસ્કાર કરતા. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું તે વાજપેયીના વ્યવહારને જોઈને મને પણ ઈર્ષા થતી કે હું એક સાંસદ અને તે દેશના પ્રધાનમંત્રી. વાજપેયીમાં અહંકાર જરાય ન હતો. હું હંમેશા વિચારતો હતો કે અહંકારમુક્ત સાર્વજનિક જીવન સારું હોય છે તે હું તેમની પાસેથી શીખ્યો છું અને સાથે જ તેને આત્મસાત કરવાનો પણ પ્રયાસ કરું છું.
વાકપટુતા અને ચાતુર્યશૈલી
અટલ બિહારી વાજપેયીના નિધન સમયે યૂપીના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું કે મેયરની ચૂંટણી સમયે મારા સમર્થનમાં સભા કરીને લખનઉ આવ્યા ત્યારે તેમને ખૂબ જ તાવ હતો. ભાષણની શરૂઆતમાં તેઓએ કહ્યું કે મારામાં તેઓ પોતાની છબિ જુએ છે. સંબોધનમાં તેઓએ જનતાને કહ્યું કે જો જનતા માને છે કે 'હમારા નેતા કૈસા હો, અટલ બિહારી જૈસા હો' તેઓએ મારું સમર્થન કરવું જોઈએ. દિનેશ શર્મા કહે છે કે વાજપેયીના ભાષણો અસરકારક હતા. ફક્ત કૂર્તો અને પાયજામો ન પહેરે તો તેઓ કેવા દેખાય તેમ જનતાને પૂછ્યું ત્યારે જનતા હેરાન થઈ. તે વાજપેયી કહેવા શું માંગે છે. ત્યારે વાજપેયીએ કહ્યું કે લખનુથી સાંસદ બનાવીને જનતાએ મને કૂર્તો આપ્યો છે અને સાથે નિગમ મેયર ચૂંટણી જીતીને પાયજામો જીતવો છે.
મિલનસાર વ્યક્તિત્વ
વાજપેયીના નિધનના એક દિવસ બાદ જયા જેટલીએ એક ફોટો ટ્વિટર પર શેર કર્યો. જે તેમની દીકરી અદિતિ અને પૂર્વ ક્રિકેટર અજય જાડેજાના લગ્નનો છે. તેમાં અટલજી અને માધુરી દીક્ષિત સાથે જોવા મળે છે. જયાએ ખુલાસો કર્યો કે જ્યારે માધુરી દિક્ષિત ત્યાંથી જવા લાગી તો વાજપેયીએ તેમને મળવા માટે તેમને ગેટથી પાછા બોલાવ્યા.
પિતૃતુલ્ય વ્યક્તિ
લતા મંગેશકરે પણ વાજપેયીના નિધન પર લખ્યું કે તેમની ખોટના કારણે મારી પર પહાડ તૂટી પડ્યો હોય તેવું અનુભવાય છે. તે મારા માટે પિતા સમાન હતા. મને વાજપેયી એટલા પ્રિય હતા કે હું તેમને દદ્દા કહીને બોલાવતી હતી. અટલજીના ભાષણમાં સચ્ચાઈ હતી. તેઓ ક્યારેય કોઈના દિલને ઠેસ પહોંચાડતા ન હતા.
ચમત્કારિક વ્યક્તિત્વ
વાત 1957ની છે અને જ્યારે અટલ બિહારી વાજપેયી બલરામપુર લોકસભા સીટથી 10 હજાર વોટથી જીતીને પહેલી વાર લોકસભા પહોંચ્યા. પહેલાંની હારથી શીખીને તેઓએ ગાંધીવીદી શુભદ્રા જોશીને મેદાનમાં ઉતાર્યા હતા. બંને ભારત છોડો આંદોલનનો ભાગ રહ્યા અને સાથે વિચારધારાની રીતે અલગ હતા. લોકસભામાં વાજપેયી તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી પ્રભાવિત થયા.