વિરાટ કોહલી પાસે કેપ્ટન તરીકે ખુબ ઓછો સમય બચ્યો છે અને મોટો સવાલ તે સામે આવ્યો છે કે વિરાટ બાદ કોણ બનશે કેપ્ટન?
વિરાટ બાદ કોણ બનશે કેપ્ટન?
રોહીત શર્માના નામ પર ચોકડી?
BCCI આ ખેલાડીને બનાવશે કેપ્ટન?
રોહીત નહી આ હશે કેપ્ટન
લોકો વચ્ચે ચર્ચા છે કે કોહલી બાદ રોહિત શર્મા ભારતના નવા કેપ્ટન બનશે પરંતુ રોહીત હાલ 34 વર્ષનો છે અને યુવાન ખેલાડીઓ ટીમમાં છે ત્યાં સુધી કદાચ જ ODI કેપ્ટન બની શકે. તેવામાં KL રાહુલનું નામ ભારે ચર્ચામાં છે. વિરાટને 27ની ઉંમરમાં ટેસ્ટ મૅચની કપ્તાની મળી હતી જ્યારે ટી 20ની કપ્તાની 29 વર્ષે મળી હતી.
BCCIનો ટાર્ગેટ આ ખેલાડી
વિરાટ કોહલી પાસે પોતાની કપ્તાની એન્જોય કરવાનો ખુબ ઓછો સમય બચ્યો છે. BCCI KL રાહુલ પર પસંદગી ઉતારી શકે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. KL રાહુલે સારુ પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડમાં તેની બેટિંગ ખુબ સારી હતી. તેણે IPL સાથે 50 ઓવરની ક્રિકેટમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર સારુ પ્રદર્શન કર્યું છે.
આ ખેલાડી પાસે સ્માર્ટ બ્રેઇન
2023 વન ડે વર્લ્ડ કપ સુધી વિરાટ કોહલીની ઉંમર 34-35 વર્ષની થઇ જશે. તેવામાં KL રાહુલ કેપ્ટન બને તેવી ગણતરી છે.
પંતનું નામ પણ ચર્ચામાં
આપને જણાવી દઈએ કે વિકેટકીપર ઋષભ પંત પણ કેપ્ટન બનવાનો દમ રાખે છે. સાથેજ તેણે પોતાની કેપ્ટનીનીની શરૂઆત પણ ઘણી સારી રીતે કરી છે. છેલ્લા ઘણા સમયથી ઋષભ પંતે ભારતીય ટીમમાં પોતાની અલગ જગ્યા બનાવી લીધી છે. અન્ય ખેલાડીઓની સરખામણીએ તેનું કરિયર પણ ઘણું લાંબુ છે.
આઈપીએલમાં ઋષભ પંચે દિલ્હી કેપિટલની કેપ્ટનશીપ ઘણી સારી રીતે કરી હતી. હાલ પણ દિલ્હી ટોપ પર છે. સાથેજ દિલ્હી આ વખતે આઈપીએલ જીતી પણ શકે છે. મેદાનમાં જોઈ શકાય છે કે પંત બધાજ બોલરોને ટ્રેન કરતો હોય છે. આજ રીતે ધોનીને પણ ઘણી વખત કેપ્ટનશીપ કરતો જોવામાં આવ્યો છે.