ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે. રાહુલ રોહિત શર્માનું સ્થાન લેશે. રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઈજાના કારણે ટીમમાંથી બહાર છે.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં KL રાહુલને મોટી જવાબદારી સોંપાઈ
KL રાહુલને ભારતીય ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો
રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઈજાના કારણે ટીમમાંથી બહાર
રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલને મોટી જવાબદારી સોંપાઈ
આ અગાઉ રોહિત શર્માને અજિંક્ય રહાણેના સ્થાને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ઈજાના કારણે તેમને ટીમમાંથી આઉટ થવુ પડ્યુ. હવે રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલને આ જવાબદારી આપવામાં આવી છે. આ સાથે 26 ડિસેમ્બરથી શરુ થઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં કેએલ રાહુલ મયંક અગ્રવાલની સાથે ઓપનિંગ કરશે તેવુ પણ નક્કી મનાઈ રહ્યું છે. વર્ષ 2018માં પણ કેએલ રાહુલે ભારતીય ટીમની સાથે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. પરંતુ તે વખતે પણ તેઓ નિષ્ફળ રહ્યાં હતા. રાહુલે 2018માં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં 2 ટેસ્ટ મેચની 4 ઈનિંગમાં 7.50 ટકાની એવરેજથી અંદાજે 30 રન બનાવ્યાં હતા.
NEWS - KL Rahul named vice-captain of Test team for South Africa series.
KL Rahul replaces Rohit Sharma as vice-captain, who was ruled out of the Test series owing to a hamstring injury.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. બીજી મેચ 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગ અને ત્રીજી અને અંતિમ મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.