ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની શરુઆત પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. લોકેશ રાહુલ ગુરુવારથી શરુ થનારી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
ટીમ ઈન્ડીયા માટે માઠી ખબર
કેએલ રાહુલ ઈજાગ્રસ્ત
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાંથી થયો બહાર
રાહુલને બદલે સુર્યકુમાર યાદવને ટીમમાં લેવાયો
કાનપુરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાવાની છે પહેલી ટેસ્ટ
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. કેએલ રાહુલની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કેએલ રાહુલની ડાબી જાંઘમાં સ્નાયુખેંચ હતી
બીસીસીઆઈની માહિતી મુજબ કેએલ રાહુલની ડાબી જાંઘમાં સ્નાયુખેંચ હતી, જેના કારણે તે આખી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયો છે. રાહુલને હવે સંપૂર્ણપણે આરામ અપાયો છે જે પછી તે એનસીએમાં તૈયારી કરશે અને આવતા મહિનાથી શરૂ થઈ રહેલા દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ફિટ થઈ જશે. કેએલ રાહુલની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
NEWS - Suryakumar Yadav replaces KL Rahul in India's Test squad.
KL Rahul has sustained a muscle strain on his left thigh and has been ruled out of the upcoming 2-match Paytm Test series against New Zealand.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટમેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી કાનપુરમાં રમાશે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુરુવારથી કાનપુરમાં રમાશે. બીસીસીઆઈના સૂત્રોએ આ માહિતી આપી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ પ્રથમ ટેસ્ટમાં રમી રહ્યા નથી. આવી સ્થિતિમાં ભારત માટે આ એક મોટો ફટકો છે. જોકે તેને જે પ્રકારની ઈજા થઈ છે તે જાણી શકાયું નથી.
India batter KL Rahul ruled out of first Test against New Zealand due to injury: BCCI sources