ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે ત્રણ મેચોની વન-ડે શ્રેણીની શરૂઆત 6 ફેબ્રુઆરીથી થઇ રહી છે. વન-ડે શ્રેણી બાદ ત્રણ મેચોની ટી-20 શ્રેણી પણ રમવામાં આવશે. વેસ્ટ ઈન્ડીઝ સામે પ્રથમ ત્રણ વન-ડે મેચ 6,9 અને 11 ફેબ્રુઆરીએ જ્યારે ટી-20 મેચ 16,18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલ પ્રથમ વન-ડે મેચમાં રમશે નહીં. જેની પાછળના કારણનો સૌથી મોટો ખુલાસો થયો છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલ પ્રથમ વન-ડે મેચમાં નહીં રમે
કેએલ રાહુલ પોતાની બહેનના લગ્નના કારણે મેચમાં રમશે નહીં
લગ્નમાં વ્યસ્ત હોવાના કારણે હવે તે બીજી વન-ડેમાં રમશે
લગ્નના કારણે પ્રથમ વન-ડે મેચ નહીં રમે કેએલ રાહુલ?
પ્રથમ વન-ડેમાં કેએલ રાહુલ ના હોવાના કારણે એવી અટકળો લગાવવામાં આવતી હતી કે કદાચ તેમને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ આવુ નથી. જેની પાછળનું વાસ્તવિક કારણ લગ્ન છે. ખરેખર, કેએલ રાહુલ પોતાની બહેનના લગ્નના કારણે વેસ્ટ ઈન્ડીઝ સામે પ્રથમ વન-ડેમાં રમશે નહીં. વેસ્ટ ઈન્ડીઝ સામેની વન-ડે સીરીઝ પહેલા શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ ઐયર કોવિડ પોઝીટીવ આવ્યાં હતા અને ત્યારબાદ લાગી રહ્યું હતુ કે રાહુલને ટીમમાં પાછો બોલાવવામાં આવે. પરંતુ રાહુલ પોતાની બહેનના લગ્નમાં વ્યસ્ત હોવાને કારણે આ પાક્કુ થઇ ગયુ છે કે તે બીજી વન-ડેમાં જ રમશે.
ખુલી ગયુ સૌથી મોટુ રહસ્ય
કેએલ રાહુલ ના રમતા પહેલી વન-ડેમાં મયંક અગ્રવાલ અથવા ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. ભારતીય ખેલાડીઓમાં કોરોના આવ્યાં બાદ યજમાન ટીમની સામે મોટો પડકાર આવી ગયો છે. ટીમની પાસે ફક્ત હવે પાંચ બેટ્સમેન બચ્યા છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, રિષભ પંત અને ઓલરાઉન્ડર દીપક હુડ્ડા હવે પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે. મયંક અગ્રવાલને 2 ફેબ્રુઆરીથી ટીમમાં સામેલ કરાયો છે.