ટેસ્ટ કેપ્ટન્સી છોડ્યા ઉપરાંત વિરાટ કોહલીની પાસે કોઈ ઓપ્શન ન હતો. એક સફળ કેપ્ટન 'રિટાયર્ડ હર્ટ' થયો એમ કહેવું પણ ખોટુ ન કહેવાય.
કોણ બનશે ભારતીય ક્રિકેટ ટીમનું કેપ્ટન?
આ બે ખેલાડી છે પ્રબળ દાવેદાર
જાણો લિસ્ટમાં કોનું કોનું નામ
ફક્ત ચાર મહિના પહેલા તે ભારતીય ક્રિકેટના બાદશાહ હતા. ત્રણેય શ્રેણીઓમાં ભારતીય ટીમના કેપ્ટન 'કિંગ કોહલી' પરંતુ ટી20 ટીમની કેપ્ટન્સી તેમણે જાતે છોડી હતી, વન ડેની કેપ્ટન્સીથી તેમને હટાવવામાં આવ્યા અને પછી પરિસ્થિતિ એવી બની કે ટેસ્ટ કેપ્ટન્સી છોડવા સિવાય વિરાટ કોહલી પાસે કોઈ ઓપ્શન ન હતો. એક સફળ કેપ્ટન 'રિટાયર્ડ હર્ટ' થયો એવું કહેવું કંઈ અતિશ્યોક્તિ નહીં કહેવાય.
તેનું ઠીકરૂ સાઉથ આફ્રિકા પાસેથી મળેલી હાર પર ફોડવું ખોટુ કહેવાશે. તેનો આભાસ 16 સપ્ટેમ્બરના એ ટ્વીટથી થઈ ગયો જ્યારે કોહલીએ ટી20 ટીમની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી હતી. કારણ જણાવવામાં આવ્યું ટેસ્ટ અને 2023 વર્લ્ડ કપ પર નહીં પરંતુ વન ડે ક્રિકેટ પર ફોકર કરવું. આ ટ્વીટને કાલે ચાર મહિના પૂરા થઈ જશે અને હવે કોહલીનું નામ પૂર્વ કેપ્ટનસીની યાદીમાં રહેશે.
બીસીસીઆઈ સૂત્રોની માનીએ તો કોહલીએ એ નિર્ણય લીધા પહેલા બોર્ડના આલા અધિકારીઓ સાથે કોઈ વાતચીત ન હતી કરી. સાઉથ આફ્રીકા પ્રવાસ પર રવાના થયા પહેલાની પ્રેસ કોન્ફરન્સ જોયા બાજ તેની આશા પણ ઓછી રાખવામાં આવી હતી. આ તેમનો અને ફક્ત તેમનો જ નિર્ણય હતો. તેમણે ઔપચારિક નિવેદન જાહેર કર્યા પહેલા બીબીસીઆઈને એટલું જ કહ્યું કે તે થાકી ચુક્યા છે. રાહુલ દ્વવિડ હવે ભવિષ્યની પ્લાનિંગ કરી રહ્યા છે. ટીમ કેપ્ટન વિરાટ કોહલી આગળ નિકળી ચુક્યા છે અને હવે ફોકસ બેટર કોહલી પર રહેશે.
કેએલ રાહુલ કે રોહિત શર્મા?
સીરીઝમાં મળેલી હાર અને રન ન થવાથી કોહલી હાશિયા પર ધકેલાઈ ગયા હતા અને તેમનો વિશ્વાસપાત્ર સહયોગી સ્ટાફ પણ બદલાઈ ગયો. હકીકતે ઈજાના કારમે રોહિત શર્મા ટીમમાં શામેલ ન થઈ શક્યા. હવે જોવાનું એ રહેશે કે કોહલીની ટેસ્ટ કેપ્ટન્સી છોડ્યા બાદ નેક્સ્ટ ભારતીય ટેસ્ટ કેપ્ટન કોણ હશે. આમ તો રોહિત શર્માના કેપ્ટન બનવાના ચાન્સ સૌથી વધારે છે. રોહિતને વન ડે અને ટી-20ના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. એવામાં બીસીસીઆઈ એક કેપ્ટનની રણનીતિને આગળ વધારવા માટે રોહિતને નેક્ટ્સ ટેસ્ટ કેપ્ટન નિયુક્ત કરી શકે છે.
ત્યાં જ કેએલ રાહુલ પણ લાઈનમાં છે. રાહુલ આઈપીએલમાં કેપ્ટન્સી કરી ચુક્યા છે અને સાથે જ આવનાર સાઉથ આફ્રીકામાં વન ડે સીરીઝમાં તે કેપ્ટન્સી કરતા જોવા મળશે. વન ડે સીરીઝમાં તેમની કેપ્ટન્સી જોઈને બીસીસીઆઈના અમુક લોકો નિર્ણય લઈ શકે છે. તે ઉપરાંત અશ્વિનના નામને લઈને પણ ચર્ચા થઈ શકે છે.