કે એલ રાહુલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પેહલા રમાયેલી પ્રેક્ટિસ મેચમાં વિસ્ફોટક અંદાજમાં સદી ફટકારી દીધી હતી.
રાહુલે ફટકારી વિસ્ફોટક સદી
પૂજારાનું પત્તું કપાઈ શકે છે
પૂજારાનું ફોર્મ ભારત માટે ચિંતાજનક
4 ઓગસ્ટથી થશે સિરીઝની શરૂઆત
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી 5 મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત થવાની છે. કે એલ રાહુલે આ સિરીઝની તૈયારી માટે યોજાયેલી પ્રેક્ટિસ મેચમાં માત્ર 150 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 101 રન ફટકારી દીધા છે. રાહુલનું આ જબરદસ્ત ફોર્મ ટીમના એક ખેલાડી માટે ચિંતાજનક બની શકે છે. ટોપ ઓર્ડર હંમેશા ભારતની તાકાત રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ મેચમાં ભારતનું ટોપ ઓર્ડરનો ફ્લોપ શો જોવા મળ્યો છે.
કે એલ રાહુલની શાનદાર બેટિંગે ચેતેશ્વર પૂજારાના કરિયરને સંકટમાં મૂકી દીધું છે. લાંબા સમયથી પૂજારાની અત્યંત ધીમી બેટિંગ પર ખૂબ જ ટીકાઓ થઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલની પહેલી ઇનિંગમાં પણ પૂજારા માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. અને ઇનિંગના 36માં બોલે તો પૂજારાએ પહેલો રન બનાવ્યો હતો. પૂજારાની હદથી પણ વધારે ડિફેન્સીવ બેટિંગ કરવાથી ટીમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે.
પૂજારાની ટેકનિકને લઈને ઉઠયા સવાલો
પૂજારાના આ નિરાશાજનક પ્રદર્શનથી તેના કરિયર પર પૂર્ણવિરામ મુકાઇ શકે છે. સામેની ટીમને ચેલેન્જ કરવા માટે અત્યંત ડિફેન્સીવ બેટિંગ કરવાને બદલે રન બનાવવું ખૂબ જ અગત્યનું છે પરંતુ પૂજારાની બેટિંગમાં અત્યાર સુધી તો પરિસ્થિતિ મુજબ રમવાની અને રન બનાવવાની આવડત દેખાઇ નથી. રાહુલની સદીએ ભારતની ટીમને સંકેત આપી દીધા છે કે, ઈંગ્લેન્ડની પરિસ્થિતિમાં કેવી રીતે રમી શકાય છે.
કોઈપણ ટીમમાં નંબર 3ની પોઝીશન ખૂબ જ મહત્વની હોય છે. પૂજારા ઘણા વર્ષોથી આ નંબર પર રમી રહ્યો છે પરંતુ તેણે છેલ્લી સદી 2018માં ઓસ્ટ્રેલિયા સામે બનાવી હતી. ત્યારબાદ એક પણ સદી ન બનાવવી ટીમ ઈન્ડિયા માટે ચિંતાની બાબત બની છે. પૂજારા એકમાત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ ભારત માટે રમે છે. પૂજારાને ઘણીવર દ્રવિડ સાથે પણ સરખાવામાં આવે છે પરંતુ દ્રવિડ માત્ર ધીમી બેટિંગ જ નહોતો કરતો તેનામાં પરિસ્થિતિ અનુરૂપ રમતને બદલવાની આવડત પણ હતી. હવે, નંબર 3ની પોઝીશન પર પૂજારાના બદલે રાહુલને તક મળી શકે છે.
પૂજારાનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય
પૂજારાએ હજી સુધી ટેસ્ટ ક્રિકેટમાં 18 સદી અને 29 અર્ધસદી બનાવી છે. પૂજારાનું કરિયર તો ખૂબ જ સારું છે પરંતુ હાલમાં તેનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. પૂજારાએ 2019થી માત્ર 29.21ની એવરેજથી 818 રન જ બનાવ્યા છે. પૂજારાએ છેલ્લી 4 ટેસ્ટની 6 ઇનિંગમાં 73,15,21,7,0 અને 17 રન બનાવ્યા છે, તેવામાં પૂજારા પાસે ટીમમાં પોતાની જગ્યા બનાવી રાખવા માટે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ છેલ્લી તક હોઈ શકે છે.