ઇન્ડિયન ટી 20 લીગમાં એક વખત ફરીથી કેએલ રાહુલે જોરદાર બેટિંગ કરી છે. બુધવારે રાહુલે મુંબઇ વિરુદ્ધ બેટિંગ કરતાં લીગમાં પોતાના કરિયરની પહેલી શતક લગાવી દીધી છે. રાહુલે માત્ર 64 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી નોટઆઉટ 100 રનની ઇનિંન્ગ રમીને પોતાની ઇન્ડિયન ટી 20 લીગ કરિયરની પહેલી સેન્ચ્યુરી પૂરી કરી.
કેએલ રાહુલની આ શતકથી ક્યાંય ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને રાહત મળી હશે. શિખર ધવનના ખરાબ પર્ફોમન્સ અને રોહિત શર્માની ઇજાની વચ્ચે રાહુલની આ શતક વર્લ્ડ કપ 2019માં ઓપનરને લઇને વિરાટ કોહલીની ચિંતાઓ દૂર કરશે.
જણાવી દઇએ કે રાહુલે માત્ર 64 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી નોટઆઉટ 100 રનની ઇનિંન્ગ રમીને પોતાની ઇન્ડિયન ટી 20 લીગર કરિયરની પહેલી સેન્ચ્યુરી પૂર્ણ કરી છે. જો કે રાહુલના શતકના દમ પર મોટું લક્ષ્ય ઊભો કરનારી પંજાબ હરિફાઇમાં મુંબઇ હારી ગઇ.
કેએલ રાહુલે ક્રિસ ગેલની સાથે મળીને પંજાબને ગજબની શરૂઆત આપી. બંનેએ પહેલા 4 ઓવરમાં 20 રન બનાવ્યા. પરંતુ બંનેએ મળીને પંજાબને 10.2 ઓવરમાં પંજાબના સ્કોરને 100ની ઇનિંન્ગ પર પહોંચાડી દીધી. કેએલ રાહુલે 41 બોલમાં પોતનો અર્ધશતક મારી. પરંતુ ત્યારબાદ આગળના 22 બોલમાં એમને 50 રન કરીને પોતાની પહેલી આઇપીએલ સેન્ચ્યુરી પૂર્ણ કરી લીધી.
ઇન્ડિયન ટી 20 લીગમાં કે એલ રાહુલના હાલના પર્ફોમન્સમાં એ તરફ ઇશારો કરી રહી છે કે એ ઇંગ્લેન્ડમાં યોજનારા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ભાગ લેશે. 15 એપ્રિલે ભારતીય ટીમની જાહેરાત થવાની છે અને ઇન્ડિયન ટી 20માં અત્યાર સુધી રાહુલ 3 અર્ધશતક અને એક શતક મારી છે.