ભારત અને વેસ્ટઈંડીઝને વન ડે બાદ ટી 20 સીરીઝ રમવાની છે. 16 ફેબ્રુઆરીએ પ્રથમ મેચ કલકત્તામાં રમાશે, પણ ટીમ ઈન્ડિયાને આ અગાઉ મોટો ઝટકો લાગ્યો છે.
ટી 20 સીરીઝ પહેલા ભારતને મોટો ઝટકો
ઉપ કપ્તાન કેએલ રાહુલ અને સ્પિનર અક્ષર પટેલ ઈજાગ્રસ્ત
સીરીઝમાંથી થઈ ગયા બહાર
ભારત અને વેસ્ટઈંડીઝને વન ડે બાદ ટી 20 સીરીઝ રમવાની છે. 16 ફેબ્રુઆરીએ પ્રથમ મેચ કલકત્તામાં રમાશે, પણ ટીમ ઈન્ડિયાને આ અગાઉ મોટો ઝટકો લાગ્યો છે. ઉપ કપ્તાન કેએલ રાહુલ અને સ્પિનર અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થવાના કારણે ટી 20 સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ શુક્રવારે આ અંગેની જાણકારી આપી છે.
ઈજાગ્રસ્ત થયા ખેલાડી
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, ઉપકપ્તાન કેએલ રાહુલને બીજી વન ડેમાં ફિલ્ડીંગ દરમિયાન સ્ટ્રેન હૈમસ્ટ્રિંગમાં તકલીફ થઈ હતી. જેના કારણે તે ટી 20 સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે કોરોનામાં સાજા થયા બાદ અક્ષર પટેલે ટ્રેનિંગ શરૂ કરી છે. તેથી તેને પણ ટી 20 સીરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
બંને ખેલાડીઓ હવે બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં જશે. જ્યાં બંને રિકવરીમાં લાગશે. એનસીએના ડાયરેક્ટર પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ છે. કેએલ રાહુલ અને અક્ષર પટેલની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડ્ડાને ટી 20 સીરીઝ માટે ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે.
કેએલ રાહુલ ટી 20 સીરીઝ માટે વાઈસ કેપ્ટન હતો, તે બહાર થતાં હાલમાં કોઈને પણ વાઈસ કેપ્ટન બનાવ્યો નથી. ત્યારે જોવું એ રહેશે કે, જ્યારે મેચ રમાશે ત્યારે આ જવાબદારી કોને સોંપવામાં આવશે. ઉપ કપ્તાનની રેસમાં શ્રેયસ અય્યર અને ઋષભ પંત નામ સૌથી આગળ રહેશે.