લોકો ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે બીજી બાજુ મકરસંક્રાંતિના પર્વ પર મંદિરોમાં પતંગના શણગાર કરવામાં આવતા સવારથી દર્શનાર્થીઓની લાંબી લાઈન લાગી છે.
ગુજરાતભરમાં આજે મકરસંક્રાતિ (ઉત્તરાયણ) ની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. ચારે તરફ પતંગરસિયાઓ સવારથી જ પતંગ ચગાવવા સહપરિવાર સાથે ધાબે ચડી ગયા છે. અમદાવાદમાં પણ લોકો ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. લોકો પતંગ ચગાવી રહ્યા છે સાથે 'કાઇ પો છે..' અને 'લપેટ' જેવા શબ્દોથી અમદાવાદની પોળો ગુંજી ઉઠી છે. બીજી બાજુ અમદાવાદના જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાંબી લાઈન લાગી છે.
જગન્નાથ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ
આજે મકરસંક્રાંતિના પર્વ પર અમદાવાદના જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાગી લાઈન લાગી છે. જણાવી દઈએ કે આજે ભગવાન જગન્નાથનો વિશેષ શણગાર કરાયો છે. ભગવાન જગન્નાથજીને આજે સોનાનો શણગાર કરાયો છે. બહેન શુભદ્રા અને ભાઈ બલરામને પણ સોનાનો શણગાર કરાયો છે. દાન-પુણ્ય કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો આજે ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચ્યા છે.
બોટાદના સારંગપુરમાં હનુમાનજીના વિશેષ શણગાર
આ સિવાય મકરસંક્રાંતિના ખાસ પર્વ નિમિતે બોટાદના સારંગપુરમાં હનુમાનજી વિશેષ શણગાર કરવામાં આવ્યા છે. પતંગોના આ પર્વમાં બોટાદના સારંગપુરમાં હનુમાનજીના સિંહાસનને પતંગોથી દિવ્ય શણગાર સજાવવામાં આવ્યું છે અને એ સાથે ચીકી, મમરાના લાડુ, તલના લાડુ સહિતનો ભોગ ધરાવાયો હતો. રંગબેરંગી પતંગોથી દાદાનું સિંહાસન ઝળહળી ઉઠ્યું છે. જણાવી દઈએ કે મકરસંક્રાતિના પાવન પર્વ પર મોટી સંખ્યામાં લોકો દર્શન કરીને હનુમાનદાદાનો આશીર્વાદ લેવા માટે ઉમટ્યા છે અને આ સાથે જ ત્યાંઆ પરંપરા પ્રમાણે ગૌશાળામાં ગાયોની પણ પૂજા અર્ચના કરવામાં આવી છે.
સિદ્ધિવિનાયક મંદિરમાં 1100 પતંગ- ફિરકીનો શણગાર
મહેમદાવાદની પવિત્ર વાત્રક નદી કિનારે આવેલ સિદ્ધિવિનાયક દેવસ્થાન પર 1100 પતંગ- ફિરકીનો શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન ગજાનંદના મંદિર પરિસરમાં 1100 પતંગ- ફીરકી શણગારાઈ છે અને મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. સિદ્ધિવિનાયક મંદિરમાં 1 હજાર 100 પતંગની ફિરકીનો શણગાર કરવામાં આવ્યો છે અને આ સાથે દર્શનાર્થીઓ તરીકે ત્યાં આવતા બાળકોને પ્રસાદ સ્વરૂપે અપાય છે ફિરકી પણ આપી રહી છે.
श्री सोमनाथ महादेव मंदिर,
प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)
दिनांकः 14 जनवरी 2023, पौष कृष्ण सप्तमी - शनिवार
मध्याह्न शृंगार
01230197 pic.twitter.com/5Lpb71spF7
સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ દર્શન
ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથમાં પણ મકરસંક્રાંતિણઆ પર્વ પર મહાદેવના વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
આજના મકર સંક્રાંતિ ના દર્શન 🚩
પોષ વદ સાતમ. શનિવાર.
તા. 14/01/2023.
જય માતાજી 🙏🏻 pic.twitter.com/8qZHOERRqt
— શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા (@ChotilaTemple) January 14, 2023
શ્રી ચામુંડા માતાજી મંદિર પતંગોનો શણગાર
આ સિવાય મકરસંક્રાંતિના ખાસ પર્વ નિમિતે રાજકોટ પાસે આવેલ ચોટીલાના ચામુંડા માતાજીનો પણ પતંગો દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મકરસંક્રાતિના પાવન પર્વ પર મોટી સંખ્યામાં લોકો દર્શન કરીને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે પંહોચ્યાં છે.
श्री भालका तीर्थ (कृष्ण धाम), प्रभासक्षेत्र - गुजरात (सौराष्ट्र)
दिनांकः 14 जनवरी 2023, पौष कृष्ण सप्तमी - शनिवार
मध्याह्न शृंगार
01230195 pic.twitter.com/caxb4rtiEs