વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખુબ મહત્વ માનવામાં આવે છે. ઘરમાં રસોડું ખુબ જ ખાસ માનવામાં આવે છે પરંતુ જો તે ખોટી દિશામાં હશે તો ઘરની શાંતિ ભંગ થઇ જશે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવડાવો રસોડું
આ દિશામાં ભૂલથી પણ ન બનાવવું જોઇએ કિચન
કંગાળ થઇ જતાં વાર નહી લાગે
ઘરના રસોડાની જવાબદારી સ્ત્રીના માથે હોય છે માટે રસોડું ખોટી જગ્યાએ હશે તો તેનો પ્રભાવ પણ સ્ત્રીઓ પર જ પડશે. નકારાત્મક પ્રભાવ જો સ્ત્રી પર પડે તો સમગ્ર ઘર પર તેની અસર દેખાવા લાગશે. માટે આવો જાણીએ કઇ દિશામાં રસોડુ હોવું જોઇએ.
આ રીતે સજાવો રસોડુ
રસોડું દક્ષિણ-પૂર્વ દિશામાં એટલે કે ઘરમાં અગ્નિ કોણમાં બનાવવું જોઈએ. આ દિશાનો સ્વામી શુક્ર ગ્રહ છે.
વાસ્તુ અનુસાર રસોડું દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ. આ તમારા ઘરમાં બિનજરૂરી ખર્ચ તરફ દોરી જાય છે.
રસોડામાં સ્ટવને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને ભોજન બનાવતી વખતે આપણા ઘરની મહિલાઓએ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રહે.
જો તમારા રસોડામાં માઇક્રોવેવ વગેરે હોય તો તેને દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખો.
રસોડામાં પાણી અથવા રેફ્રિજરેટર ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવું ફાયદાકારક છે.
રસોડામાં લોટ, ચોખા અને ખાવાની વસ્તુઓ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં રાખવી જોઈએ.
રસોડાની બારી પૂર્વ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ. આ દિશામાં લાઇટ બલ્બ વગેરે પણ મુકવા જોઇએ.
રસોડામાં વાસણો ધોવાનું સ્થાન એટલે કે સિંક ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઈએ.
રસોડામાં દેવી-દેવતાનું સ્થાન ક્યારેય ન બનાવવું જોઈએ. આ સિવાય રસોડામાં દવાઓ ક્યારેય ન રાખવી જોઈએ.
રસોડું બનાવતી વખતે ધ્યાન રાખો કે બાથરૂમ અને રસોડાના દરવાજા એકબીજાની સામે ન હોવા જોઈએ.
આ વાતનું ખાસ ધ્યાન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં એંઠા વાસણો પણ લાંબા સમય સુધી ન રાખવા જોઈએ. આ વાસણોને સમયસર સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. રાત્રે ભોજન કર્યા પછી વાસણોને એંઠા ન રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ આવવા લાગે છે. જમા થયેલી મૂડીનો નાશ થવા લાગે છે અને દેવાની સ્થિતિ યથાવત રહે છે.