પોતાના રોમેન્ટિક ગીત અને કૉમિક અંદાજ માટે જાણીતા એક્ટર, ડાયરેક્ટર અને સિંગર કિશોર કુમારની લાઇફથી જોડાયેલા ઘણા કિસ્સા કહેવામાં આવે છે.
ઇન્દિરા ગાંધી તરફથી આવેલી એક ઑફર માટે ના પાડી દેવાની છે. આ વાત ઇમરજન્સી લાગૂ થયા દરમિયાનની છે.
જાણવા મળી રહ્યું છે કે કિશોર કુમારને ઇંદિરા ગાંધીના પ્રોપેગેન્ડા સંભાળનાર વિદ્યા ચરણ શુક્લા તરફથી ફોન આવ્યો હતો. કુરિયર વાળાએ કિશોરને ઑફર આપી હતી કે એ ઇન્દિરા ગાંધીના ઇમરજન્સીના 20 સૂત્રી પ્રોગ્રામ માટે બનાવેલા ગીતને પોતાનો અવાજ આપે.
કિશોરે પૂછ્યું કે એ ગીત શું કામ ગાય તો ફોન કરનારે કહ્યું કે આ સૂચના અને પ્રસારણ મંત્રી વીસી શુક્લાનો આદેશ છે.
આદેશની વાત પર કિશોર કુમાર ખૂબ જ ગુસ્સે થઇ ગયા હતા અને એમને ફોન કરનારને ધમકાઇને કહ્યું- પાગલા સા...ચલ ભાગ.
કિશોરની વાત પર મંત્રીજી ખૂબ જ નારાજ થઇ ગયા હતા અને એમને ઑલ ઇન્ડિયા રેડિયો પર કિશોર કુમારના ગીત પર પ્રતિબંધ મૂકી દીધો હતો.