જુનાગઢના સરળતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાન વ્યક્તિત્વ એવા કિશોરચંદ્ર બાવાજી પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે.
કિશોરચંદ્ર બાવાજી પંચમહાભૂતમાં વિલીન
જુનાગઢની મોટી હવેલી ખાતે નિધન
દુનિયાભરમાં 230 થી વધુ પુષ્ટિ સંસ્કાર પાઠશાળાઓ
જુનાગઢના સરળતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ સમાન વ્યક્તિત્વ એવા કિશોરચંદ્ર બાવાજી પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે, સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. એક ઉત્તમ વ્યક્તિત્વએ દુનિયામાંથી વિદાય લીધી હતી.
વેપારીઓએ દુકાનો બંધ રાખી
જુનાગઢની મોટી હવેલીનાં વૈષ્ણવાચાર્ય કિશોરચંદ્રજી મહારાજનું અવસાન થયું હતું. આજે હવેલી ખાતે જ મહારાજનું આજે સવારે 11:30 વાગ્યે સવારે તેઓનું મૃત્યુ થયું હતું. આજે વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ રાખી શોક વ્યક્ત કર્યો હતો. આ સમાચાર સાંભળી મોટાં પ્રમાણમાં લોકો સૌરાષ્ટ્ર અને આસપાસના ગામોમાંથી જુનાગઢ આવી ગયા હતા.
કિશોરચંદ્રજી મહારાજની જૂનાગઢની મોટી હવેલીના ગાદિપતિ તરીકે આશરે ચાર દાયકા પહેલાં તિલકવિધી થઇ હતી. જૂનાગઢના પુરૂષોત્તમલાલજી મહારાજ અને ચંદ્રપ્રભાવહુજીએ તેમને લાલન તરીકે ગોદ લીધા હતા. તેઓ મૂળ કચ્છ માંડવીની ગાદીના હતા.
સેંકડો પાઠશાળા
કિશોરચંદ્રજી મહારાજે દુનિયાભરમાં 230 થી વધુ પુષ્ટિ સંસ્કાર પાઠશાળાઓ શરૂ કરી છે.અમેરિકા, કેનેડા, યુરોપિયન દેશો અને ભારતભરમાં તેની પાઠશાળાઓ ચાલે છે. જેમાં 14,000 થી વધુ વૈષ્ણવ બાળકો હિન્દુ સંસ્કૃતિ અને શ્રીમદ્ભાગવદ્ગીતા આધારિત શિક્ષણ મેળવે છે.
ઉત્તમ વ્યક્તિત્વ
તેઓ એક સાદગી અને સરળતા માટે જાણીતા અને આદરપાત્ર બન્યા હતા. તેમણે જીવનભર ગાયના છાણથી લીંપી તેના પર જ પથારી કરી ઊંઘતા હતા.
ગૌશાળા બનાવડાવી
જો કે તેમણે કેટલાક ઉત્તમ કર્યો પણ કર્યા હતા જેમ કે તેમણે ગૌશાળા બનાવડાવી હતી અને ત્યાં IIT Delhi દ્વારા સિસર્ચ પણ કરાયું હતું. ત્યાં 450 ગાયો છે. આજે જૂનાગઢના સેંકડો પરિવારો દેશી ગાયનું દૂધ તેના કારણે જ પીવા પામે છે.