મરાઠી અને હિન્દી ફિલ્મોના અભિનેતા કિશોર નાંદલસકરનું આજે બપોરે કોરોનાના કારણે નિધન થઇ ગયુ છે.
બોલીવૂડ પર કોરોનાનો કહેર
સન્નાટાનું થયુ નિધન
કોરોનાને કારણે થયુ અવસાન
20 એપ્રિલ 2021ના રોજ બપોરે લગભગ 12.30 વાગ્યાની આસપાસ ગુજરી ગયા છે. છેલ્લા 2 અઠવાડીયાથી તેઓ ઠાણેના કાવિડ સેન્ટરમાં દાખલ હતા.
તેમણે ફિલ્મ ઇના મીના ડિકાથી પોતાના ફિલ્મી કરિયરની 1989માં શરૂઆત કરી હતી. તેમણે 30 ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમની કેટલીક હિટ ફિલ્મમાં ધમાલ બાબલ્યા ગનપ્યાચી, કરામતી કોટ, પૂર્ણ સત્ય, જીસ દેશમેં ગંગા રહેતા હૈ, ઇર્ષ્યા, ફ્રુટ એન્ડ નટ, યેડ્યાચી જાત્રા અને હુંતાશ જેવી ફિલ્મો સામેલ છે. 2020માં તેમની ફિલ્મ મિસ યુ મિસ રિલીઝ થઇ હતી.
કોરોનાની નવી લહેરે દેશભરમાં કાળો કેર વર્તાવ્યો છે, રોજબરોજ કેસોની સંખ્યા અને મોતનો આંકડો પણ વધતો જ જાય છે,
ગીતકાર કિરણ મિશ્રાનું અવસાન
કોરોનાના લીધે બોલિવૂડની જાણીતી હસ્તી એવા પ્રખ્યાત ગીતકાર કિરણ મિશ્રાનું આજે અવસાન થયું છે. 67 વર્ષીય કિરણ મિશ્રાએ મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતા. મહત્વનું છે કે પંડિત કિરણ મિશ્રાએ ઘણા ભક્તિ ગીતો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા.
સાહિત્ય ક્ષેત્રે ઘણું જાણીતું નામ હતા પંડિત મિશ્રા
પંડિત કિરણ મિશ્રાના અવસાન બાબતની જાણકારી તેના પુત્ર સ્વદેશ મિશ્રાએ આપી હતી. નોંધનીય છે કે સાહિત્ય ક્ષેત્રે પંડિત મિશ્રા એક ઘણું જાણીતું અને સન્માનીય નામ છે, તેમને ઘણા એવોર્ડસ અને સન્માન મળી ચૂક્યા છે. તેમના અવસાન બાદ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું વાતાવરણ છે.