રાજકોટમાં ધાર્મીક સંગઠનો કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા ગયા હતા. જોકે સંગઠનો દ્વારા રેલી કાઢીને દુકાનો પણ બંધ કરાવામાં આવી રહી હતી. તે સમયે પોલીસ દ્વારા ટોળાના વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો.
રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ
ટોળાને વિખેરવા પોલીસે લાઠી ચાર્જ કર્યો
રેલી કાઢીને લોકો દુકાનો બંધ કરાવી રહ્યા હતા
કિશન ભરવાડ હત્યા કેસને લઈને આજે રાજકોટમાં ધાર્મીક સંગઠનો કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. કલેક્ટરને તેઓ આવેદન પત્ર આપવા આવ્યા હતા. પરંતુ તે સમયે ત્યા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંગઠનો દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી અને તે રેલી બાદ લોકો દુકાનો પણ બંધ કરાવી હતી જેથી પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો.
કલેક્ટરને આવેદન પણ આપવા આવ્યા હતા
ધાર્મિક સંગઠનો આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા. પરંતુ તે સમયે પોલીસ દ્વારા ટોળાને વિખેરવા લાઠી ચાર્જ કરવામાં આવ્યો. કારણકે તેઓ રેલી કાઢીને ત્યા દુકાનો પણ બંધ કરાવી રહ્યા હતા. આ ઘટનાને લઈને ક્યાંકને ક્યાંક લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે અને બના અજંપાભરી સ્થિતી જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો પહોચી ગયા હતા. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
કિશન ભરવાડની હત્યા મામલે દુકાનો બંધ કરાવી રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે ધંધુકામાં કિશનભરવાડની હત્યાના વિરોધમાં લોકો દુકાનો બંધ કરાવી રહ્યા હતા. રેલી બાદ લોકો દુકાનો બંધ કરાવી હતી જેથી ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો જેમા અમુક લોકોને ઈજા પહોચી જેથી તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
એટીએસએ કરી મૌલવીની ધરપકડ
ધંધૂકાના કિશન ભરવાડ કેસ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ATSના હાથે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે તેને દિલ્હીથી ગુજરાત લવાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર ઘટનાને જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ વખોડી છે.
રાજભા ગઢવીએ ઘટનાને વખોડી
રાજભા ગઢવીએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, દરેક હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવી જોઇએ અને મુસ્લિમ આગેવાનોને પણ અપીલ કરી હતી કે હિંસક પ્રવૃત્તિઓ કરતા તત્વોને રોકવા જોઈએ.
દરેક હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવાની કરી અપીલ
રાજભાએ વધુમાં કહ્યું કે, કિશન ભરવાડે પોસ્ટ મુકવા બદલ માફી પણ માગી હતી તેમ છતાં તેમની હત્યા કરવામાં આવી તે ખરેખર વખોડવા લાયક બાબત છે. તો તેમણે બંધારણ અને કાયદો હોવા છતાં મૃત્યુદંડ આપનારને સજા થવી જોઇએ તેવી પણ માગણી ઉચ્ચારી હતી.
સમગ્ર ઘટના શું હતી ?
ધંધુકા ખાતે ગત મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો.
કંગના રણૌતે પણ આપ્યું છે નિવેદન
ગુજરાતના અમદાવાદમાં આવેલ ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યા થઈ છે. જે હાલ ઘણો ચર્ચાનો વિષય બન્યો છે. ગત 25 તારીખે યુવક કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેના કારણે હાલ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે બોલીવૂડ એક્ટર કંગના રાણાવતે પણ કિશન ભરવાડની હત્યાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.
ધંધૂકાના સ્થાનિકોએ અશાંતધારાની કરી છે માગણી
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલે VTV NEWS દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ધંધુકાના લોકોએ અશાંત ધારાની માંગ ઉચ્ચારી છે, આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ધંધુકામાં 700થી વધુ હિંદુઓએ મકાન વેચ્યા છે. સ્થાનિકોએ VTV NEWS સાથેની વાતચીતમાં કહ્યું કે,વચલી ફળી, મોઢવાળા પોળ, લીંબડી ફળી તથા સુથારવાડા, ખાંડાચોરામાં અશાંત ધારાની માગણી કરી છે. નોંધનીય છે કે, હિન્દુ મકાન માલિકો ધંધુકામાં મકાન વેચીને નીકળી ગયા છે. તો કેટલીક જગ્યાએ પંરાપરાગત નવરાત્રીના ગરબા પણ બંધ થયા હતા.
એટીએસની ટીમના હાથમાં આવ્યો આખો કેસ
ઉલ્લેખનીય છે કે યુવક કિશન ભરવાડની હત્યાના કેસમાં વધું એક આરોપીની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસે અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરી છે. જેણે આરોપી મૌલવીને હથિયાર આપ્યા હતા. જોકે આ કેસ હવે એસઓજીની ટીમ દ્વારા એટીએસને આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે મોરબીથી પણ હત્યામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.