ATSએ કોર્ટ સમક્ષ 2 આરોપીઓ કમર ગની ઉસમાની અને અસીમ સમાને રજૂ કર્યા હતા. અસીમ સમાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
કોર્ટે આરોપી કમરગનીના વધુ 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અસીમ સમાને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
ATSએ કોર્ટ સમક્ષ 2 આરોપીઓને કર્યા હતા રજૂ
અમદાવાદના ધંધુકામાં કિશનની હત્યા કેસને મામલે પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. આજે ગુજરાત ATS દ્વારા કોર્ટ સમક્ષ 2 આરોપીઓ મૌલાના કમરગની ઉસ્માની અને અસીમ સમાને રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે વધુ તપાસ અર્થે રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્પેશ્યલ કોર્ટે આરોપી કમરગનીના 16 ફેબ્રુઆરી સુધી રિમાન્ડમાં રહેશે. અસીમ સમાને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
મૌલાના કમરગી ઉસ્માનીના સંગઠનની બેંક ડિટેઈલ મળી
કિશન ભરવાડ હત્યા કેસને લઈને દિવસેને દિવસે હવે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુમાં આ કેસમાં નવો મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં મૌલાના કમરગી ઉસમાનીના સંગઠનની બેંક ડિટેઈલ મળી આવી છે. જાણીને આપને નવાઈ લાગશે કે મૌલાના કમરગી ઉસમાનીના બેંક એકાઉન્ટ માંથી 11 લાખના વ્યવહાર મલી આવ્યા છે.
કમર ગનીના મોબાઈલના CDRનો અભ્યાસ
રિમાન્ડ દરમિયાન આરોપીની સંસ્થા તહેરીકે ફરોગે ઇસ્લામ દ્વારા જે 1500 વ્યક્તિઓના લીસ્ટ બનાવવાના આવ્યું છે. તેમાં કોના કોના નામનો સમાવેશ કરવામાં અને આ લિસ્ટ કયા આધારે બનવામાં આવ્યું છે.. આ લોકોની સલામતી અને સરનામાં શોધવા રિમાન્ડની માંગ કરી હતી.. આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ TFI માંથી 6 થી7 વ્યક્તિઓને રાજીનામા આપ્યા હતા આ વ્યક્તિઓ કોણ છે અને શા માટે રાજીનામા આપ્યા હતા તેની તપાસ જરૂરી છે તેમજ કમર ગની ના મોબાઈલ ના CDR નો અભ્યાસ કરતા ગુજરાત ના 48 ઈસમો તેના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. આ ઈસમો કોણ છે સહિતની તપાસ કરવા માટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવાની દલીલ સરકારી વકીલ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી જોકે બચાવ પક્ષના વકીલ દ્વારા રિમાન્ડ ના મુદ્દાનો પુનરાવર્તન થતું હોવાના કારણે 14 દિવસના રિમાન્ડ ના આપી શકાય તેવી દલીલ કરતા નામદાર કોર્ટ કમરગની ઉસ્માની ના 16 ફેબ્રુઆરી બપોર 3 વાગ્યા સુધીના દિવસ 9 ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે .
9 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો
મોલાના કમરગી ઉસમાનીના સંગઠન TFIના બેંક એકાઉન્ટ માંથી 11 લાખના વ્યવહાર મળી આવ્યા છે. ત્યારે આ રૂપિયા ક્યાથી આવ્યા અને ક્યા ખર્ચાયા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. 11 લાખ રૂપિયામાંથી 9 લાખ રૂપિયાનો એકાઉન્ટમાંથી ખર્ચ કરવામાં આવ્યો છે.
અત્યારસુધીમાં 9 શખ્સની ધરપકડ
આ કેસમાં અત્યારસુધીમાં શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદન મળીને કુલ 9 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
કિશન ભરવાડ હત્યા કેસમાં કઈ કઈ સંસ્થાઓ જોતરાયેલી?
કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાના અને તેના સંગઠનમાં જોડાયેલા લોકોની ગુજરાત ATS તપાસ શરૂ કરી છે. સંગઠન ના ફન્ડીગને લઈને ED તપાસમાં જોડાઈ છે.જ્યારે આરોપીઓની આતંકી પ્રવૃત્તિ સાથે સંડોવણી હોવાની શક્યતાને લઈને સેન્ટ્રલ IB અને NIA ની ટીમેં પણ આરોપીની પૂછપરછ શરૂ કરી છે. તે સિવાય હવે અમદાવાદમાં ઉત્તરપ્રદેશ ATS પણ મૌલાના કમરગીની ઉસમાનીની સતત પુછપરછ કરી રહી છે.