કિશન હત્યા કેસમાં ભરવાડ સમાજના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી.
ભરવાડ સમાજના પ્રતિષ્ઠિત ગાદીપતિ મુલાકાતે પહોંચ્યા
ભરવાડ સમાજ રજૂઆત પર રાજ્ય ગૃહમંત્રીનું નિવેદન
વિવિધ જિલ્લાના અગ્રણીઓ તમામ લોકો સાથે બેઠક કરી-સંઘવી
કિશન હત્યા કેસ મામલે ભરવાડ સમાજ દ્વારા અનેક કાર્યક્રમો અને કલેકટરથી લઈ નેતાઓ સુધી રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે ભરવાડ સમાજના પ્રતિષ્ઠિત ગાદીપતિએ આગેવાનો સાથે હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી છે. ગાંધીનગરમાં હર્ષ સંઘવીની ચેમ્બરમાં થયેલી આ બેઠકમાં મૃતક કિશન અને તેના પરિવારને ઝડપી ન્યાય મળે તેમજ આરોપીને વધુમાં વધુ કડક સજા થાય તે માટે તમામ આગેવાનો દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
કાયદાકીય રીતે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવનો પ્રયત્ન કરીશું-સંઘવી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે પોલીસ ઝડપથી તપાસ કરી રહી છે એક બાદ એક આરોપીને ઝડપી કડક કાર્યવાહી કરી કિશનને ન્યાય અપાવવામાં આવશે.ભરવાડ સમાજ રજૂઆત પર રાજ્ય ગૃહમંત્રીનું નિવેદન આપ્યું છે કે વિવિધ જિલ્લાના અગ્રણીઓ તમામ લોકો સાથે બેઠક થઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેવી માગણી કરવામાં આવી છે. કાયદાકીય રીતે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવશે તેવી પ્રયત્ન કરવાની પણ વાત થઈ છે.
આરોપી રમીઝ સેતાની આજે ધરપકડ
કિશન ભરવાડ હત્યા કેસમાં દિવસને દિવસે પોલીસ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી રહી છે. ત્યારે હત્યામાં સંડોવાયેલા વધું એક આરોપીને રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી રમીઝ સેતા હોવાનું સામે આવ્યું છે. તેણે અગાઉ ઝડપાયેલ આરોપી અજીમ સમાને હથિયાર સપ્લાય કર્યા હતા. આરોપી જંગલેશ્વરનો રહેવાસી છે અને એસઓજીની ટીમ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. ભાવનગરના ઢસાથી આરોપીને પકડીને એટીએસની ટીમને સોંપી દેવામાં આવ્યો છે. જેની સામે પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કિશન ભરવાડની હત્યાના વિરોધમાં બજારો બંધ
કિશન ભરવાડની હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે, કરણી સેના, બજરંગ દળ, વિશ્વ હિંન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોમાં કિશન ભરવાડની હત્યાને લઈ રોષ જોવા મળી રહ્યો છે.જેને પગલે ઠેરઠેર બંધનુ એલાન અપાયુ હતુ.આ બંધના એલાનને કારણે બનાસકાંઠાનુ થરાદ તથા ગીર સોમનાથના કોડીનારની બજારો આજે બંધ જોવા મળી હતી.થરાદ તથા કોડીનારના વેપારીઓ અને દુકાનદારોએ હિન્દુ સંગઠનોને સમર્થન આપી બંધને સફળ બનાવ્યુ હતુ.જેમાં આરોપીઓને કડક સજાના ભાગ રૂપે ફાંસીની સજાની માંગ કરાઈ હતી.
મૌલાના ઐયુબને આજે જમાલપુર મસ્જિદ લાવવામાં આવ્યો
આ કેસમાં હવે એટીએસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. આરોપી મૌલાના ઐયુબને આજે ગુજરાત એટીએસની ટીમ તપાસ અર્થે અમદાવાદના જમાલપુર લાવી હતી. જમાલપુરમાં જે મસ્જિદ આવેલી છે ત્યા એયુબને તપાસ માટે લાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ આરોપી મૌલાના ઐયુબ અને શબ્બીરે મસ્જિદમાં જ આ સમગ્ર ષડયંત્ર રચ્યું હતું.
અસામાજિક તત્વો કાર્યક્રમમાં ઘુસીને શાંતિ ડહોળવા પ્રયાસ કરે છે: VHP
ધંધુકા ફાયરિંગ વીથ હત્યા કેસ મામલે VHPના જનરલ સેક્રેટરી અશોક રાવલે કાર્યક્રમો અટકાવવા અપીલ કરી છે. તેમણે આ અંગે નિવેદન જાહેર કરતાં કહ્યું કે હત્યા મામલે થતા નાના મોટા કાર્યક્રમો મૌકૂફ રાખવામાં આવે, હિંદુ સમાજને અપીલ કરૂ છુ કે હાલ આંદોલન ન કરો કારણ કે સરકાર જે દીશામાં તપાસ કરી રહી છે તે કરવા દો અસામાજિક તત્વો કાર્યક્રમમાં ઘુસીને શાંતિ ડહોળવા પ્રયાસ કરે છે. ગુજરાતની શાંતિ જોખમાય નહી તે માટે તમામ હિન્દુ પ્રયત્ન કરવો જૉઇએ.