અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાનો મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.
યુવકની હત્યા ષડયંત્રપૂર્વક કરાઇ હોવાનો ખુલાસો
અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યાનો મામલો
કોર્ટે બે આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કોર્ટે બે આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા(રહે.મલવતવાડા, ધંધુકા)અને ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ પઠાણ(રહે. કોઠીફળી,ધંધુકા)ની, તેમજ મુખ્ય સૂત્રધાર મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે. બાદમાં આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં જ્યાં કોર્ટે શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.જ્યારે હથિયાર આપનાર મૌલવીની પણ કરાઈ ધરપકડ કરાઈ છે.
આરોપીઓએ કિશનની પોસ્ટ ધ્યાનમાં રાખી કર્યું ફાયરિંગ
અમદાવાદના ધંધુકામાં સોશિયલ મિડીયામાં વિવાદીત ધાર્મિક પોસ્ટના કારણે કિશન ભરવાડ ભારે વિવાદ સર્જાયો હતો. જેના પગલે આરોપીઓએ કિશનને સબક શીખવાડવા માંગતા હતા. જેથી તેમણે કિશનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મોકો મળતાની સાથે જ શબ્બીર અને ઈમ્તિઆઝે બાઈક પર સવાર થઈ બંદૂક લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં કિશનને એકલો જોઈ શબ્બીર નામના યુવકે ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન બાઈક ઈમ્તિઆઝ ચલાવતો હતો અને શબ્બીરે ફાયરિંગ કર્યું હતું.
મૌલવીએ આરોપીઓને હથિયાર પહોંચાડ્યા હતા
અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી શાહઆલમમાં મળી ચુક્યા છે. જેમાં શબ્બીર પણ હાજર હતો. હત્યાના 5થી 6 દિવસ પહેલા શબ્બીર અમદાવાદ ગયો હતો અને તેણે મૌલવીને મળી ફેસબુક પર આ પોસ્ટની વાત કરી કહ્યું હતું કે આ ફેસબુક પર પોસ્ટ મૂકી એ મને ગમી નથી, તેને સબક શીખવાડવાનો છે. મને હથિયાર આપો. જેથી મૌલવીએ આ હથિયાર આપ્યું હતું.આ સંગઠન અને અન્ય મૌલવીઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઈમ્તિયાઝ શબ્બીરનો મિત્ર છે અને અન્ય યુવાનો સાથે પણ વાતચીત કરતો હતો.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતકના પરિજનોને ઝડપથી ન્યાયની ખાતરી આપી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે થયેલી કિશન ભરવાડ નામના યુવાનની હત્યા સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી પરિવારજનોને ઝડપથી ન્યાયની ખાતરી આપી હતી.