રાજકોટના આરોપીને હથિયાર આપનાર વધુ 3 આરોપીની પોરબંદરથી ધરપકડ કરવામાં આવી
ધધુકામાં કિશન ભરવાડના હત્યા મામલો
ગુજરાત ATS વધુ 3 આરોપીની કરી ધરપકડ
પોરબંદરથી કરાઈ ધરપકડ
ધધુકામાં કિશન ભરવાડના હત્યા મામલો એક એક બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે આજે કુલ 3 આરોપીની ગુજરાત ATSએ ઘરપકડ કરી છે. પોરબંદરથી ઝબ્બે થયેલા આ આરોપીમાં મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદનનો સમાવેશ થાય છે. તેઓએ રાજકોટના અજીમ સમાને હથિયાર સપ્લાઈ કર્યા હોવાનું પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે.
અત્યારસુધીમાં 9 શખ્સની ધરપકડ
આ કેસમાં અત્યારસુધીમાં શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદન મળીને કુલ 9 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.
1500 જેટલી પુસ્તક છપાવી કટ્ટરવાદી વાતો ઉલ્લેખી
આરોપી મૌલાના અયુબે જાબરવાલે એક પુસ્તક છપાવી હતી. જજબા-એ-શહાદતની 1500 જેટલી પુસ્તક છપાવી મસ્જીદમાં આવતા યુવકોને ફ્રીમાં આપવામાં આવી હતી. આ પુસ્તકમાં કટ્ટરવાદી વાતોનો ઉલ્લેખ કર્યો હતો.
અનેક યુવકોનું બ્રેઇન વોશ કર્યું
આ બનાવ પહેલા મૌલાના કમર ગની 6 વાર ગુજરાત આવ્યો હતો. ગુજરાતમાં અમદાવાદ, બરોડા અને સુરતમાં રોકાયો હતો અને અનેક યુવકોના બ્રેઇન વોશ કર્યું હતું. મૌલાના યુવાનોને સંગઠનમાં જોડાવવા રૂ.365 ફી લેતો હતો. જે બાદ હવે પાકિસ્તાન અને આતંકી કનેક્શન ખુલતા NIA તપાસમાં જોડાઇ છે. તેમજ ગુજસીટોકની કલમ ઉમેરાતા હવે આરોપીઓને વિશેષ કોર્ટમાં રજૂ કરવામા આવશે.