કચ્છઃ ખેડૂત અને કિસાન સંઘે કચ્છમાં નર્મદાનું પાણી મળી રહે તે દિશામાં અવાજ ઉઠાવી છે. જિલ્લાના નખત્રાણામાં ખેડૂતોએ નર્મદાના પાણીની માગ સાથે મહારેલીનું આયોજન કર્યું હતું. જેમાં ખેડૂત કિસાન સંઘ સામાજીક સંસ્થાઓ વેપારીઓ તથા સ્થાનિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જે બાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાણી પુરૂ પાડવા અંગે રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર કચ્છમાં નર્મદા નીર પહોચાડ્યું હોવાનો દાવો કરી રહી છે.
જોકે રાપરથી કેનાલ કામ આગળ વધ્યું નથી તે નરી વાસ્તવિક્તા છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી મળી રહે તેમાટે લોકો આજે સ્વયભૂ જોડાયા હતા. ત્યારે જોવું એ રહ્યું કે સરકાર આ દિશામાં હવે કોઈ પગલા ભરે છે કે પરિસ્થિતિ ઠેરની ઠેર રહે છે.
આજે નખત્રાણા કિસાનસંઘ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નખત્રાણા ખાતે યોજાયેલ રેલીમાં લખપત અબડાસા નખત્રાણા સહિતના તાલુકાના લોકો સ્વયંભૂ જોડાયા હતા. નર્મદાના પાણી માંગ લઈને નખત્રાણા શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું.
કચ્છ જિલ્લામાં પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિ નિર્માણ થયું છે. નર્મદા પાણી વગર ખેતી અને પશુપાલન ઉધોગ ભાગી પડવાને આરે છે. કચ્છ એક મિલિયન હેકટર ફિટ પાણી લઈને કચ્છ અન્યાય થઈ રહ્યો છે.
આગામી દિવસોમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાં નર્મદા પાણી નહીં પહોંચાડવામાં આવેતો ખેડુતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ખેડૂતો ઉચ્ચારી છે. નર્મદાના પાણી લઈને કચ્છ જિલ્લા થઈ રહેલા અન્યાય મામલે ખેડૂતો ભાજપ કોંગ્રેસ આગેવાનો લડતમાં જોડાયા છે.
આજની મહારેલીમાં ભાજપ કોંગ્રેસના નેતા એક મંચ પર જોવા મળ્યા હતા. સૌ કોઈ એક સુરે પશ્ચિમ કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે તેના સુરમાં સુર પુરાવી રહ્યા છે. કચ્છ નર્મદા પાણી થઈ રહેલા અન્યાય સામે ખેડૂતો લડત કેવી રંગ લાવશે તે હવે જોવું રહ્યું.