સિંધુ બોર્ડર પર થયેલી હત્યા મામલે ખેડૂત આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. જેમા સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામા આવ્યું કે તે હત્યામાં નિહંગ શીખોનો હાથ છે.
કિસાન સંગઠન અને નિંહગ શીખ આમને સામને
સિંધુ બોર્ડર પર જે મર્ડર થયું તે નિહંગ શીખોએ કર્યું હોવાનો દાવો
સંયુક્ત કિસાન મોર્ચાએ સમગ્ર મામલે કરી પ્રેસ કોન્ફરન્સ
કૃષિ કાયદાને લને ખેડૂતો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમા હવે નવા નવા વળાંકો જોવા મળી રહ્યા છે. સિંધુ બોર્ડર પર જે મર્ડર થયું હતું. ત્યારબાદ આંદોલનમાં શામે કિસાન સંગઠન અને નિહંગ શિખ આમને સામને આવી ગયા છે. સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે મૃતક અને નિહંગ સાથે તેમનો કોઈ સંબંધ નથી.
સંયુક્ત કિસાન મોર્ચાએ પહેલાથી પોલીસને એલર્ટ કરી હતી
સમગ્ર મામલે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા તેમણે કહ્યું કે તેમણે પહેલાથીજ હરિયાણા અને અને દિલ્હીની પોલીસને નિહંગ શિખોને લઈને એલર્ટ કર્યા કરી હતી. સાથેજ તેમણે એવું પણ કીધું કે તેમણે પોલીસને પહેલાથી કહ્યું હતું કે નિહંગ શીખો તેમના મોર્ચામાં નથી.
અપીલનો વીડિયો પુરાવા તરીકે આપ્યો
પ્રેસ કોન્ફરન્સમાં સંયુક્ત મોર્ચા દ્વારા કહેવામાં આવ્યું કે નિહંગ શીખોને કારણે ઘણી વખત તેમને જગ્યા ખાલી કરી દેવી પડતી હોય છે. સાથેજ કિસાન મોર્ચા એક નિંહગ શિખોને જે અપીલ કરી હતી તેનો વીડિયો પણ પુરાવા તરીકે તેમણે પોલીસને આપ્યો છે.
મૃતક છેલ્લા કેટલાય સમયથી નિહંગો સાથે હતો
ઉલ્લેખનીય છે કે સિંધુ બોર્ડર પર જે હત્યા થઈ છે. ત્યારબાદથી સંયુક્ત મોર્ચા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા પાછળ પણઁ નિહંગ શીખોનોજ હાથ છે. મૃતક છેલ્લા કેટલાક સમયથી નિહંગો સાથે રહીને તેમની સેવા કરતો હતો પરંતુ અમુક કારણોસર તેમણે તેની હત્યા કરી નાખી હતી તેવો સંયુક્ત મોર્ચા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. .