ખેડૂતોનું આ અભિયાન દર્દીઓ માટે વરદાનથી જરાય ઓછુ નથી
કેન્દ્રના 3 કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત ખેડૂત મોર્ચાએ સોમવારે કહ્યું કે તે રાજધાનીની હોસ્પિટલોમાં ભોજન અને જરુરી સામાનનું વિતરણ કરશે. એમકેએમના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્હીની અનેક બોર્ડર પર ધરણા કરી રહેલા ખેડૂતો શહેરની હોસ્પિટલોમાં ભોજનના પેકેજ અને અન્ય જરુરી સામાન વિતરણ કરશે.
સિંધૂ બોર્ડર પર થશે ફુડ પેકેજીંગ
નિવેદન મુજબ ગાજીપુર સીમા પર બેઠેલા ખેડૂતો પહેલા જ દિલ્હીમાં બસ ટર્મિનલો, રેલવે સ્ટેશનો અને હોસ્પિટલોમાં ભોજન વિતરણ કરી રહ્યા છે. તેમા કહેવામાં આવ્યુંછે કે પેકેજીંગની પ્રક્રિયા મંગળવારે સિંધુ બોર્ડર પર પણ શરુ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્વયંસેવર ખેડૂતો ધરણાના સ્થળની પાસે ઓક્સિજન અને અન્ય સામાન લઈને પસાર થનારા વાહનોને તેમના નિયત સ્થળ પર પહોંચાડવામાં મદદ કરશે.
ખેડૂત મોર્ચાની આ પહેલથી લોકોને મળશે અનેક મદદ
ગત લાંબા સમયથી દેશમાં કોરોના સંકટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધવાની સાથે તેમની દેખરેખની જરુરી વસ્તુઓનો અભાવ બનેલો છે. ત્યારે કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચાનું આ અભિયાન દર્દીઓ માટે વરદાનથી જરાય ઓછુ નથી.
દિલ્હીમાં સોમવારે કોરોનાના 20201 નવા મામલા સામે આવ્યા
હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોનાના 20201 નવા મામલા સામે આવ્યા છે. ત્યારે લગભદ 380 દર્દીના મોત થયા છે. હાલમાં અત્યાર સુધીમાં દિલ્હીમાં 10.47 લાખથી વધારે લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે મૃતકોની સંખ્યા વધીને 14, 628 સુધી પહોંચી ગઈ છે. હાલમાં 92 હજારથી વધારે એક્ટીવ કેસ છે. ગત 24 કલાકમાં 22, 055 દર્દી સાજા થયા છે.