પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણી સંગ્રામની વચ્ચે સંયુક્ત કિસાન મોર્ચાએ પણ હવે મેદાનમાં ઉતરવાની પુરી તૈયારી કરી લીધી છે.
ખેડૂતો ભાજપ તથા તેના સહયોગી દળોને વોટ ન આપવા અપીલ કરશે
હોળીના તહેવારે 3 કૃષિ કાયદાની કોપી સળગાવશે
પ્રત્યેક બેચ બંગાળમાં રોજ 3થી 4 રેલીઓ કરશે.
ખેડૂતો ભાજપ તથા તેના સહયોગી દળોને વોટ ન આપવા અપીલ કરશે
કિશાન મોર્ચાએ 12 માર્ચથી 3 દિવસનો કાર્યક્રમ જારી કર્યો છે. જેમાં બેઠકને લઈને પંચાયત સુધી સામેલ છે. આ દરમિયાન મોર્ચાના નેતા અને પદાધિકારીઓ ત્યાં ભાજપ તથા તેના સહયોગી દળોને વોટ ન આપવા અપીલ કરશે. સાથે ખેડૂતોને દિલ્હીની બોર્ડર પર પાછા ન જવા પણ અપીલ કરાઈ રહી છે.
પ્રત્યેક બેચ બંગાળમાં રોજ 3થી 4 રેલીઓ કરશે.
આ તરફ પંજાબના ખેડૂત નેતાઓએ કમર કસી લીધી છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રધાન બલબીર સિંહ રાજેવાલે જણાવ્યું કે બંગાળ સહિત 5 રાજ્યોમાં ખેડૂતોની બેચ જશે. જ્યાં મતદાતાઓને આગ્રહ કરશે કે તે ભાજપને છોડી અન્ય કોઈ પણ રાજનીતિક દળને મતદાન કરે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા સીટો પર ખેડૂતોની બેચ કૃષિ કાયદાની પ્રતિયા વિતરિત કરી તેને નુકસાન ગણાવશે. પ્રત્યેક બેચ બંગાળમાં રોજ 3થી 4 રેલીઓ કરશે. પ્રત્યેક બેચ દરેક જિલ્લામાં 12 રેલીઓ કરશે.
હોળીના તહેવારે 3 કૃષિ કાયદાની કોપી સળગાવશે
રવિવારે ટીકરી બોર્ડર પર ખેડૂત આંદોલનના આગામી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર ખેડૂત નેતા 12 માર્ચે પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિરોધ કરશે. 23 માર્ચે શહિદ ભગત સિંહનો શહીદી દિવસ બનાવશે. જેમાં યુવાઓને વધારે સંખ્યામાં દિલ્હીની બોર્ડરો પર પહોંચવા અપીલ કરશે. 26 માર્ચે આંદોલનના 4 મહિના થવા પર ભારત બંધ કરવામાં આવશે. આ ઉપરાંત 28 માર્ચે હોળીના તહેવારે 3 કૃષિ કાયદાની કોપી સળગાવશે.
બેચની બે ટીમ આસામ પહોંચી- રાજેવાલ
ચંદીગઢમાં ખેડૂત ભવનમાં રવિવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન બલવીર સિંહે રાજેવાલે કહ્યું કે એક બેચની 2 ટીમ પહેલાથી જ આસામ પહોંચી ચૂરી છે. તેમણે કહ્યું કે તે ખાનગીકરણની વિરુદ્ધ ટ્રેડ યુનિયનોના 15 માર્ચે આહ્વાનનું સમર્થન કરશે. 26 માર્ચે ભારતમાં બંધ સામેલ થશે. 19એ પેટ્રો પદાર્થો પર વધતી કિંમતોનો વિરોધ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે પંજાબ અને બંગાળ એ છે જે વિભાજન દરમિયાન ઘણું બધું સહી ચૂક્યા છે. મોદી સરકારની જનવિરોધી નીતીઓની વિરુદ્ધ દરેક રાજ્યમાં જશે.
17એ સિંધુ સીમા પર વિશાળ રેલી
ખેડૂત નેતા અશોક ઘાવલેએ કહ્યું કે ખેડૂત અને વ્યાપાર સંઘ મળીને 15 તથા 16 માર્ચે પેટ્રોલ - ડીઝલના ભાવમાં વૃદ્ધિ અને ખાનગીકરણની વિરુદ્ધ પ્રદર્શન કરશે. 17 માર્ચે તમામ ટ્રેડ યુનિયન અને સામાજિક સંગઠન, કિસાન સંગઠન સિંધુ બોર્ડર પર એક થઈ વિશાળ રેલી કરશે. 19 માર્ચે મંડી બચાવો- ખેતી બચાવો દિવસ મનાવવામાં આવશે.