કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાની સામે દિલ્હીમાં ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે ત્યારે ખેડૂત મોરચાએ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે.
ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ
ખેડૂતો 6 ફેબ્રુઆરીએ દેશભરમાં બપોરના 12 થી 3 વાગ્યા સુધી ચક્કાજામ કરશે.
કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂત મોરચાએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં એક દિવસના પ્રતિક ઉપવાસ પણ કર્યાં હતા.
સરકારની ચિંતા વધી શકે તેવા એક પગલાંમાં ખેડૂત મોરચાએ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ કરવાની જાહેરાત કરી દીધી છે. હજુ સુધી સરકાર ખેડૂત આંદોલનનો કોઈ નક્કર ઉપાય શોધી શકી નથી તેવે વખતે આ નવી જાહેરાત સરકારના ટેન્શનમાં વધારો કરી શકે છે.
કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂત મોરચાએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં એક દિવસના પ્રતિક ઉપવાસ પણ કર્યાં હતા. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું કે ખેડૂતોનું પણ માન-સન્માન સચવાય તેની અમે ખાતરી રાખવા માગીએ છીએ. એક સન્માનીય ઉકેલ આવવો જોઈએ. અમે દબાણ હેઠળ તો કોઈ પણ બાબતને મંજૂરી નહી આપીએ. સરકાર કે સંસદ અમારી સામે ઘૂંટણીયે પડી જાય તે અમને મંજૂર નથી. પરંતુ સરકારે ખેડૂતોનું સન્માન પણ જાળવવું જોઈએ.
ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ
દેશભરમાં ચક્કાજામ કરવાના કિશાન મોરચાના એલાન બાદ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ખેડૂત આંદોલન જેમ જેમ વિકરાળ બની રહ્યું છે તેમ હવે જાટોનું સમર્થન કરવા માટે દુષ્યંત ચૌટાલા પર દબાણ વધી રહ્યું છે. રાજ્યની વિપક્ષી પાર્ટીઓ અને ખેડૂતો તરફથી દુષ્યંત પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે.
રાકેશ ટીકૈતે કહ્યું કે અમે દેશના વડાપ્રધાનનું સન્માન કરી છે અને આ મુદ્દાનું સમાધાન આવે તે અમારી ઈચ્છા છે. પરંતુ બંદૂકના દમ પર વાતચીત નહીં થાય. અમે વાતચીત કરીશું પરંતુ સરકાર શરતો મૂકીને વાતચીત ન કરે.