રાકેશ ટિકૈતે રાજસ્થાનની ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે જો તમને MSP ન મળે તો તમે ઘઉં ભરીને દિલ્હી પહોંચી જાઓ.
તમામ પોતાના અનાજ ભરીને દિલ્હી ચલો- ટિકૈત
...નહીં તો દિલ્હી સરકાર સાંભળવાની નથી
MSP નો રેટ 1975 રુપિયા, વ્યાપારિઓએ 1600 રુપિયા ક્વિંટલ ખરીદવાની વાત કરી
તમામ પોતાના અનાજ ભરીને દિલ્હી ચલો- ટિકૈત
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મંગળવારે રાજસ્થાનના ઝુંઝુનૂંમાં ખેડૂત મહાપંચાયત કરી. ટિકૈતે અહીં ખેડૂતોને કહ્યું કે રાજસ્થાનના ઘઉં સૌથી પહેલા બજારામાં આવશે. સરકારે MSP આપવી પડશે. જો તમને MSP ન મળે તો તમે ઘઉં ભરીને દિલ્હી પહોંચી જાઓ. જો દિલ્હીમાં કોઈ તમને રોકે છે તો તેમને MSP પર ઘઉં ખરીદવા પડશે. કેમ કે પ્રધાનમંત્રી મોદીએ કર્યુ કે ખેડૂત દેશમાં ક્યાંય પણ અનાજ વેચી શકે છે. એવું થોડું કીધું છે કે દિલ્હીમાં ન વેચી શકે. દિલ્હીની મંડી સૌથી સારી છે. તમામ પોતાના અનાજ ભરીને દિલ્હી ચલો.
MSP નો રેટ 1975 રુપિયા, વ્યાપારિઓએ 1600 રુપિયા ક્વિંટલ ખરીદવાની વાત કરી
ટિકૈતે કહ્યું કે દિલ્હીમાં લડાઈ ચાલી રહી છે. હવે અહીં પણ શરુ કરવી પડશે. સીધી વાત એ છે કે જે 3 કૃષિ કાયદો લાવ્યા છે તેને રદ્દ કરો. MSP પર કાયદો બનાવો. કાલે આગ્રાના ખેડૂતો ઘઉં મેડીમાં લઈને ગયા. ત્યાં વ્યાપારિઓએ 1600 રુપિયા ક્વિંટલ ખરીદવાની વાત કરી. તેમણે કર્યું કે MSP નો રેટ 1975 રુપિયા છે. તેનાથી ઓછા નહીં વેચુ. સાથે મંડી પણ નહીં ચાલવા દઉ. તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તમામ ઘઉં 1975 રુપિયામાં વેચાયા.
...નહીં તો દિલ્હી સરકાર સાંભળવાની નથી
ઝુંઝુનૂ તો ક્રાંતિકારીઓનો જિલ્લો છે. અનેક શહીદ થયા જેમણે સામંતવાદી વ્યવસ્થાની સામે આંદોલન ચલાવ્યું. તમારે નિકળવું પડશે. આ મોર્ચે બંધી તોડવી પડશે નહીં તો દિલ્હી સરકાર સાંભળવાની નથી. આ વખતે મોર્ચા બંધી નથી તુટી. આ વખતે પણ MSP ન મળી તો બાળકો આપણને માફ નહીં કરે. જો આંદોલન ફેલ થયું તે દેશો ખેડૂત નિષ્ફળ જશે.
આમના કહેવામાં ન આવો
આ (સરકાર) કહે છે કે નાનો ખેડૂત ખેતરમાં છે અને મોટો આંદોલનમાં છે. હવે આ લોકો નાના અને મોટામાં વહેંચવા લાગ્યા છે. અમે કહ્યું કે MSPથી નાના ખેડૂતોને સૌથી વધારે ફાયદો થશે. આમના કહેવામાં ન આવો. આ રોજ નવા ફોર્મુલા લઈને આવે છે. આ લુટેરાઓ છે આમને ભગાડો.
3 કાયદાને પાછા લેવડાવ્યા વગર ખેડૂત ઘરે પાછા નહીં જાય
સરકાર વિચારી રહી છે કે ખેડૂત પોતાના ખેતરમાં કામ કરવા જશે તો આંદોલન ખતમ થઈ જશે. તે કહી રહ્યા છે કે એપ્રિલમાં આંદોલન આપમેળે રોકાઈ જશે. સરકારની સાથે લડાઈ લાંબી ચાલશે. તમારા જમવાનો સામાન ત્યાં જ છે. થોડુક સાથે લઈને આવવાનું છે. લોટ- દાળ પર જ પુરુ આંદોલન ચાલી રહ્યું છએ. 3 કાયદાને પાછા લેવડાવ્યા વગર ખેડૂત ઘરે પાછા નહીં જાય.
વધારે તીવ્ર થઈ શકે છે આંદોલન
રાજસ્થાનમાં ખેડૂત આંદોલન હવે વધારે તીવ્ર થઈ શકે છે. આનું કારણ છે કે રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ હવે ખુલીને સમર્થનમાં મહાપંચાયત કરી રહી છે. ત્યારે બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈત સતત રાજ્યભરમાં જનસભાઓ કરી રહ્યા છે. માર્ચમાં ટિકૈતની અનેક પંચાતયો પ્રસ્તાવિત છે. અત્યાર સુધીમાં જેટલી પર રેવી ટિકૈતે કરી છે તેમાં તેઓ નવા કૃષિ કાયદાને લઈને આક્રમક રહ્યા છે. આ સ્પષ્ટ છે કે ખેડૂતોના અનાજને તિજોરીઓમાં બંધ નહીં થવા દેવામાં આવે. આરપારની લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી નવા કૃષિ કાયદા પાછા ન લેવામાં આવે. ટિકૈત સતત ખેડૂતોને એક જૂટ કરી રહ્યા છે.