ખેડૂત આંદોલનને લઈને મામલો ગરમાયો છે, આજરોજ સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક પણ યોજાઇ રહી છે તો સુપ્રીમ કોર્ટે 26 જાન્યુઆરીની રેલીને લઈને દિલ્હી પોલીસની માગને પણ ફગાવી છે અને પોલીસે જાતે જ સંભાળે તેમ જણાવ્યું છે. આ તમામ બાબતો વચ્ચે ખેડૂત નેતાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
ખેડૂત આગેવાનનું મોટું નિવેદન
કહ્યું- 26 જાન્યુઆરીએ સુનામી આવશે.
ટિકૈતે કહ્યું- અમને રેલી કરતા કોઈ નહીં રોકી શકે
ખેડૂત નેતા પ્રેમસિંહ પંગુએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "આજની બેઠક માટે ઘણી આશાઓ છે. છેલ્લી મીટિંગમાં સરકારે કહ્યું હતું કે કૃષિ કાયદો રદ્દ કરવાનું મન બનાવી લેશે. જો આજની બેઠક સફળ નહીં થાય તો દુનિયા 26 મીએ જોશે. ખેડુતોમાં ભારે રોષ અને ગુસ્સો છે. 26 જાન્યુઆરીએ સુનામી આવશે. "
પોલીસ રેલીને મંજૂરી નહીં આપે તો...
તેમણે કહ્યું, અમારી 26 મીને લઈને પોલીસ સાથે બેઠક ચાલી રહી છે. તેઓ અમને રેલી વિશે પૂછી રહ્યા છે. અમને લાગે છે કે તેઓ પરેડની મંજૂરી આપશે. જો પરવાનગી આપવામાં નહીં આવે, તો અમે બેઠક કરીને ભવિષ્યની વ્યૂહરચના નક્કી કરીશું. "
ખેડૂત નેતાએ કહ્યું કે આજની બેઠકમાં તેઓ એનઆઈએ નોટિસનો મુદ્દો પણ સરકાર સમક્ષ ઉઠાવશે. ગત વખતે પણ માત્ર 2 નોટિસો મળી હતી. તેમણે આક્ષેપ કર્યો અને પૂછ્યું, "એનઆઈએએ ખેડૂત આગેવાનો અને ખેડૂત આંદોલનને ટેકો આપનારાઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. શું ખેડૂત દેશદ્રોહી છે? આ બહુ ગંભીર બાબત છે."
રાકેશ ટિકૈતે આપ્યું મોટું નિવેદન
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રેલીને લઈને કહ્યું હતું કે, અમે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજીને જ રહીશું. અમને કોણ રોકી શકશે. દિલ્હી પણ ખેડૂતોનું છે અને પ્રજાસત્તાક પર્વ પણ ખેડૂતોનો છે. રાકેશ ટિકૈતે વધુમાં જણાવ્યું કે, પોલીસ અમને કેમ રોકે? અમે ટ્રેકટર મારફતે આવી રહ્યા છીએ અને કોઇને નુકસાન પહોંચાડવાના નથી.
ખેડૂત અને સરકાર વચ્ચે આજે બેઠક
ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની વચ્ચે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે આજે 10માં દોરની વાતચીત થશે. ખેડૂતો જ્યાં કાયદાને રદ્દ લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર પણ પીછે હટના મુડમાં નથી. ત્યારે આજે થનારી 10માં દોરની વાતચીતના પરિણામ પણ ના બરાબર જ મનાઈ રહ્યા છે. ગત બેઠકમાં સરકારે ખેડૂતોને 3 કાયદા પર પોઈન્ટ વાર વાત કરવા કહ્યુ હતુ. તેમના પાકો પર એમએસપી પર પણ વાત આગળ વધારવા પર સંકેત આપ્યા હતા. બેઠકની પહેલા કૃષિ મંત્રાલયના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકાર તરફથી રાખવામાં આવેલા પ્રસ્તાવો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતુ.
2 માંગો માની ચૂકી છે સરકાર
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરનું કહેવું છે કે વાયુ પ્રદુષણ અધ્યાદેશ અને પ્રસ્તાવિત વીજળી કાયદા પર સરકારે ખેડૂતોની માંગ માની લીધી છે. ખેડૂત નેતા હજું પણ એ વાત પર કાયમ છે કે સરકાર આ નવો કૃષિ કાયદો રદ્દ નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂત ગણતંત્ર પરેડ કાઢવાના ઈરાદા પર પણ કાયમ છે. નોંધનીય છે કે આ મામલો લાંબો ખેંચાવાથી સરકાર માટે સમસ્યા વધી શકે છે.
ટેક્ટર રેલીને લઈને નિર્ણય પણ અડગ ખેડૂતો
ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલીને લઈને ખેડૂતો પોતાના નિર્ણય પર અડગ છે. મંગળવારે ખેડૂત નેતાઓ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા હરિયાણાના મુખ્ય પોલીસ અધિકારીઓની વચ્ચે બેઠક થઈ. ક્રાંતિકારી ખેડૂત યુનિયન અધ્યક્ષ દર્શનપાલ સિંહે કહ્યુ કે પ્રસ્તાવિત રૈલીમાં કોઈ ફેરફાર નહીં થાય. તેમણે કહ્યું કે અમે અધિકારીઓને ભરોસો આપ્યો છે કે રેલી શાંતિપૂર્ણ રીતે થશે. પોલીસ અધિકારીઓએ કહ્યુ કે તે આ અંગે વિચારશે અને આને લઈને એક બે દિવસ પહેલા ફરી બેઠક થશે.