જો તમે ખેડૂત છો તો આ તમારા માટે મહત્વના સમાચાર છે. ખેડૂતોની આર્થિક મદદ માટે કેન્દ્ર સરકાર અનેક યોજના ચલાવી રહી છે. જેમાંથી એક ખાસ સ્કીમ છે, પીએમ કિસાન માનધન યોજના. આ પેન્શન સ્કીમ છે.
દરેક ખેડૂતોને દર મહિને મળશે 3000 રૂપિયા
પીએમ કિસાન માનધન યોજનામાં અપાય છે આ સુવિધા
ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં સારું જીવન ગાળવા અપાય છે પેન્શન
ખેડૂતોને દર મહિને રૂ. 3000ની આર્થિક મદદ
આ પેન્શન સ્કીમ હેઠળ ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે. પીએમ કિસાન માનધન સ્કીમની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની જોગવાઈ છે. જેમાં 18 થી 40 વર્ષ સુધી કોઈ પણ ખેડૂત રોકાણ કરી શકે છે. જે હેઠળ ખેડૂતને 3000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે. આ યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે 2019માં શરૂ કરી હતી. પીએમ કિસાન માનધન યોજનાને ખેડૂત પેન્શન યોજનાના નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ દેશના દરેક નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં સારું જીવન ગાળવા માટે સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે. જે હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પૂરી થતાં જ દર મહિને 3000 રૂપિયા પેન્શનની રકમ આર્થિક મદદરૂપે આપવામાં આવે છે.
દર મહિને 55 રૂપિયાનું પ્રીમિયમ ભરવુ પડશે
પીએમ કિસાન માનધન સ્કીમ હેઠળ અરજી કરનારા લાભાર્થીઓને દર મહિને પ્રીમિયમ પણ ભરવુ પડશે. 18 વર્ષની ઉંમરના લાભાર્થીઓને દર મહિને 55 રૂપિયાનું પ્રીમિયમ ભરવુ પડશે. તો 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવુ પડશે.
કેવીરીતે કરશો અરજી?
સૌપ્રથમ વેબસાઈટ પર જાઓ https://maandhan.in/..
હવે અહીં તમારે Click Here to Apply Online પર click ક્લિક કરવુ પડશે.
અહીં તમારે Self Enrolment પર ક્લિક કરીને આગળની પ્રક્રિયાને પૂરી કરવી પડશે.
પીએમ કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષ બાદ પેન્શન આપવામાં આવશે.
પીએમ કિસાનના લાભાર્થી છો તો તમારે કોઈ લેખિત કાર્યવાહી કરવાની જરૂર નથી.
તમારું ડાયરેક્ટ રજીસ્ટ્રેશન પીએમ કિસાન માનધન સ્કીમમાં થઇ જશે.