ખેડૂતોની મહાપંચાયતમાં કિસાન મોરચાના નેતાએ જણાવ્યું કે 26 જાન્યુઆરીના પ્રકરણ પછી સરકારે દમનકારી નીતિઓ અપનાવી છે.
હરિયાણામાં મળી હતી ખેડૂતોની મહાપંચાયત
પાંચ મુખ્ય ઠરાવો પસાર કરવામાં આવ્યા
કિસાન મોરચાના સભ્યે કહ્યું, સરકારે દમનકારી નીતિઓ અપનાવી છે.
દેશના ખેડૂતો એ આંદોલન દ્વારા ઇતિહાસ લખ્યો છે. સંયુક્ત કિસાન મોરચાના કારોબારી સદસ્યની મહાપંચાયતને સંબોધન કરતાં ખેડૂત નેતા દર્શનપાલસિંહે જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીના પ્રકરણ બાદ સરકારે દમનકારી નીતિઓ અપનાવી છે પરંતુ ખેડૂત સંગઠનો અને ખાપની મદદથી હવે ખેડૂત આંદોલન વધુ મજબૂત બન્યું છે.
ખેડૂતો પીછેહઠ નહીં જ કરે : કિસાન મોરચો
તેમણે કહ્યું કે, સરકાર દિલ્હી બોર્ડર પ્રદર્શન સ્થળો પર વીજળી અને પાણી અને અન્ય આવશ્યક ચીજોનો સપ્લાય બંધ કરવા તૈયાર છે. સરકારે સમજી લેવું જોઈએ કે ખેડૂતો પીછેહઠ નહીં કરે, સંયુક્ત કિસાન મોરચાની 40 સભ્યોની સમિતિમાં રહેલા બલબીરસિંહ રાજેવાલે મહાપંચાયતમાં જણાવ્યું હતું કે ખેડૂત જમીનથી અલગ ન રહી શકે.
RSS અને ભાજપના લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેઓ ક્યારેય સફળ નહીં થાય. તેમણે કહ્યું કે, સરકાર ખેડૂતોની જમીન કોર્પોરેટ ગૃહોને સોંપવા માંગે છે, પરંતુ ખેડૂતો આ યોજનાને ક્યારેય પૂર્ણ થવા દેશે નહીં.
આ પાંચ દરખાસ્તો પસાર થઈ હતી
ખેડૂતો ની મહાપંચાયતમાં પાંચ ઠરાવોને પસાર કરવામાં આવ્યા હતા.
1. કૃષિ કાયદો પાછો ખેંચવો જોઇએ અને MSP ગેરંટી નક્કી કરવી જોઈએ
2. ખેડૂતો વિરુદ્ધ દાખલ ખોટા કેસોને રદ કરવા જોઈએ.
3. દિલ્હીની પરેડમાં ધરપકડ કરાયેલા યુવક અને ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે
4. દિલ્હીની હિંસામાં ઝડપાયેલા ખેડૂતોના જે વાહનોને કબજે કરાયા છે તેને મુક્ત કરવા જોઈએ.
5. એનએચ -152 ડી માટે હસ્તગત કરેલી જમીનનું ન્યાયી વળતર મેળવવા ખેડૂતોને