નવા કૃષિ કાયદાથી નારાજ ખેડૂતો દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરતા 50 દિવસ થઈ ગયા છે. 6 અઠવાડિયાથી વધારે સમય વીતિ ગયો છે. 6 અઠવાડિયાથી વધારે સમય પસાર થઈ ગયો છે. ખેડૂત અને સરકારની વચ્ચે એક વાત પર પણ સહમતિ નથી બની શકી. ખેડૂતો તરફથી કરવામાં આવી રહેલા આંદોલનની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે ખેડૂત હવે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ટ્રેક્ટર રેલી નહીં કાઢે. ખેડૂત સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે હવે ખેડૂતો દિલ્હી બોર્ડર પર જ રેલી કાઢશે. ત્યારે સરકારની સાથે ખેડૂતો 15 જાન્યુઆરીએ નવમાં દોરની બેઠક થવાની છે. પરંતુ મનાઈ રહ્યું છે કે આ બેઠક પણ રદ્દ થઈ શકે છે.
તોમરે કહ્યું આશા છે કે જલ્દી ઉકેલ મળે
રાજેવાલે તે ખેડૂતોને પણ અલગાવવાદી તત્વોથી દુર રહેવા કહ્યું
ટ્રેક્ટર માર્ચ ફક્ત હરિયાણા નવી દિલ્હી સીમા પર થશે
રાજેવાલે તે ખેડૂતોને પણ અલગાવવાદી તત્વોથી દુર રહેવા કહ્યું
ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન યુનિયન (રાજેવાલ સમૂહ)ના નેતા બલવીર સિંહ રાજેવાલે ખેડૂતોને એક ખુલ્લા પત્રમાં સ્પષ્ટ કર્યુ છે કે ટ્રેક્ટર માર્ચ ફક્ત હરિયાણા નવી દિલ્હી સીમા પર થશે. લાલ કિલ્લા પર ટ્રેક્ટર રેલી કાઢવાનો ખેડૂતોનો કોઈ ઈરાદો નથી. રાજેવાલે તે ખેડૂતોને પણ અલગાવવાદી તત્વોથી દુર રહેવા કહ્યું છે જે લાલ કિલ્લાની બહાર માર્ચ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
તોમરે કહ્યું આશા છે કે જલ્દી ઉકેલ મળે
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સમાચાર એજન્સી આઈએએનએસ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે તેમને આશા છે કે કોઈ વિકલ્પ મળશે અને તે આ મામલાને પહોંચી વળવા તરફ વધશે. જો કે સરકાર હાલમાં પોતાનો મત સ્પષ્ટ કરી ચૂકી છે કે તે કાયદા પાછા નહીં લે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તોમરે કહ્યું હતું કે સરકાર કાયદામાં સંશોધન માટે તૈયાર છે પરંતુ કાયદા પાછા લેવાનો કોઈ વિકલ્પ નથી.
સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો હતો ઠપકો
ઉલ્લેખનીય છે કે ખેડૂત નેતાઓ અને સંગઠનો વચ્ચે 9 - 9 રાઉન્ડની બેઠકો છતાં પણ સહમતી ન સધાતા અને કોરોનાનો ખતરો જોતા સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ઠપકો આપ્યો હતો અને નવા કૃષિ કાયદાઓના અમલ પર સ્ટે આપ્યો હતો. ખેડૂત આંદોલન અને ખેતી કાયદાઓ અંગે કરવામાં આવેલી તમામ અરજીઓની એકીસાથે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે એક કમિટીનું ગઠન કરવા જઈ રહ્યા છીએ, જે ગ્રાઉન્ડ રિયાલિટીનું પરીક્ષણ કરીને અમને રિપોર્ટ આપશે. આ કમિટીને બે મહિનામાં તેનો રિપોર્ટ આપવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ અપાયો છે સાથે જ સુપ્રીમ કોર્ટ તરફથી કહેવાયું છે કે આગલા આદેશ સુધી એમએસપી ની સુવિધા ચાલુ રહેશે.