કેન્દ્ર દ્વારા પારિત કરવામાં આવેલા 3 નવા કૃષિ કાયદાની વિરુદ્ધ હજું પણ ખેડૂત અને સરકાર આમને સામને છે. એક તરફ જ્યાં ખેડૂત એક વાતને લઈને અડ્યા છે કે સરકાર કાયદો પાછો લે ત્યારે સરકારનું કહેવું છે કાયદો પાછો લેવામાં નહીં આવે પરંતુ સંશોધન જરુર કરશે. કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે ફરી વાર્તા જાહેર કરવાની વાતને વાગોળી છે. ત્યારે ભારતીય ખેડૂત યુનિયને ત્રણ વિવાદીત કાયદાની સુપ્રિમ કોર્ટમાં પડકારી છે.
કૃષિ કાયદા સાથે જોડાયેલી જુની અરજીઓ પર સુનવણી થાય
કૃષિ કાયદો આ ક્ષેત્રને ખાનગીકરણ તરફ ધકેલી દેશે
રેલ પાટાઓ પર અવરોધ ઉભો કરશે
કૃષિ કાયદો આ ક્ષેત્રને ખાનગીકરણ તરફ ધકેલી દેશે
આ દરમિયાન ભારતીય ખેડૂત યુનિયને 3 વિવાદિત કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની વાટ પકડી છે. આ અરજી દાખલ કરી યુનિયને 3 કૃષિ બિલોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કૃષિ કાયદા સાથે જોડાયેલી જુની અરજીઓ પર સુનવણી થાય. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કૃષિ કાયદો આ ક્ષેત્રને ખાનગીકરણ તરફ ધકેલી દેશે.
રેલ પાટાઓ પર અવરોધ ઉભો કરશે
ત્યારે ખેડૂતોએ ગુરુવારે કહ્યું કે જો તેમની માંગ નહીં માનવામાં આવે તો રેલ પાટાઓ પર અવરોધ ઉભો કરશે અને આને લઈને જલ્દી તારીખનું એલાન કરશે. સિંધુ બોર્ડર પર મીડિયા સાથે વાત કરતા ખેડૂત સંઘે કહ્યું કે તે વિરોધ પ્રદર્શનને ઝડપી બનાવશે અને રાજધાનીની અંદર આવનારા તમામ માર્ગોને જામ કરવાનું શરુ કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પ્રવેશ રોક્યા બાદ લગભગ 2 અઠવાડીયાથી ખેડૂતો સિંઘૂ બોર્ડર પર ધરના કરી રહ્યા છે.
દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન
જ્યારે કૃષિ મંત્રીની અપીલ પર ખેડૂતો નું કહેવું છે કે તેઓ આ કાયદાઓને રદ્દ કરાવીને જ જંપશે, તેનાથી ઓછું કશું જ તેમણે નથી જોઈતું. તેમણે કહ્યું કે સરકાર વારંવાર કહે છે કે કાયદો ખેડૂતોના ફાયદામાં છે પરંતુ કાયદાના વિરોધના સવાલોના જવાબ આપવાથી બચી રહી છે. ઉલ્લેખનીય છે કે તેમણે કહ્યું હતું કે આ બાબતે 12 થી 14 ડિસેમ્બર સુધી દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેની સાથે રેલ્વે ટ્રેક પણ બંધ કરવામાં આવશે.
કેન્દ્ર 15 માંથી અમારી 12 માંગણીઓ માટે સંમત થઈ રહ્યું
ભારતીય કિસાન સંઘના રાકેશ ટિકૈતે કૃષિ કાયદાના મુદ્દે એક અલગ દલીલ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે જો કેન્દ્ર 15 માંથી અમારી 12 માંગણીઓ માટે સંમત થઈ રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે પાસ કરેલા બિલ યોગ્ય નથી, તો પછી શા માટે તેનો નિકાલ લાગુ કરવું જોઇએ. અમે MSP પર કાયદાની માંગ કરી હતી પરંતુ તેઓ વટહુકમ દ્વારા 3 બિલ લાવ્યા હતા. જ્યાં સુધી અમારી માંગ પુરી નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ શાંતિપૂર્ણ રીતે કરતાં રહીશું. હવે કોઈ વાતચીત નહીં થાય.
સરકારે ખેડૂત પર પર ફરિયાદ દાખલ કરવાનું શરુ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સરકારે ખેડૂતોને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા છતાં તે માનવા તૈયાર નથી. હવે સરકારે તેમના પર ફરિયાદ દાખલ કરવાનું શરુ કર્યું છે. ખેડૂત 29 નવેમ્બરે લામપુર બોર્ડરથી જબરજસ્તી દિલ્હીની સીમામાં ઘૂસી ગયા હતા. અને સિંઘુ બોર્ડરની રેડ લાઈટ પર બેસી ગયા હતા. તે રોડ બ્લોક કરવ બેછા છે. ખેડુતોની વિરુદ્ધ એફઆઈઆર 7 ડિસેમ્બરના રોજ અલીપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.